Pravachan Ratnakar (Gujarati). Gatha: 116-120.

< Previous Page   Next Page >


PDF/HTML Page 1262 of 4199

 

ગાથા ૧૧૬ થી ૧૨૦

अथ पुद्गलद्रव्यस्य परिणामस्वभावत्वं साधयति सांख्यमतानुयायिशिष्यं प्रति–

जीवे ण सयं बद्धं ण सयं परिणमदि कम्मभावेण।
जदि पोग्गलदव्वमिणं अप्परिणामी तदा होदि।। ११६ ।।

कम्मइयवग्गणासु य अपरिणमंतीसु कम्मभावेण।
संसारस्स अभावो पसज्जदे संखसमओ वा।। ११७ ।।

जीवो परिणामयदे पोग्गलदव्वाणि कम्मभावेण।
ते समयपरिणमंते कहं णु परिणामयदि चेदा।। ११८ ।।

अह सयमेव हि परिणमदि कम्मभावेण पोग्गलं दव्वं।
जीवो परिणामयदे कम्मं कम्मत्तमिदि मिच्छा।। ११९ ।।

णियमा कम्मपरिणदं कम्मं चिय होदि पोग्गलं दव्वं।
तह तं णाणावरणाइपरिणदं मुणसु तच्चेव।। १२० ।।

હવે સાંખ્યમતના અનુયાયી શિષ્ય પ્રતિ પુદ્ગલદ્રવ્યનું પરિણામસ્વભાવપણું સિદ્ધ કરે છે (અર્થાત્ સાંખ્યમતી પ્રકૃતિ-પુરુષને અપરિણામી માને છે તેને સમજાવે છે)ઃ-

જીવમાં સ્વયં નહિ બદ્ધ, ન સ્વયં કર્મભાવે પરિણમે,
તો એવું પુદ્ગલદ્રવ્ય આ પરિણમનહીન બને અરે! ૧૧૬.

જો વર્ગણા કાર્મણ તણી નહિ કર્મભાવે પરિણમે,
સંસારનો જ અભાવ અથવા સમય સાંખ્ય તણો ઠરે! ૧૧૭.

જો કર્મભાવે પરિણમાવે જીવ પુદ્ગલદ્રવ્યને,
કયમ જીવ તેને પરિણમાવે જે સ્વયં નહિ પરિણમે? ૧૧૮.

સ્વયમેવ પુદ્ગલદ્રવ્ય વળી જો કર્મભાવે પરિણમે,
જીવ પરિણમાવે કર્મને કર્મત્વમાં–મિથ્યા બને. ૧૧૯.

પુદ્ગલદરવ જે કર્મપરિણત, નિશ્ચયે કર્મ જ બને;
જ્ઞાનાવરણઇત્યાદિપરિણત, તે જ જાણો તેહને. ૧૨૦.