Pravachan Ratnakar (Gujarati). Gatha: 126.

< Previous Page   Next Page >


PDF/HTML Page 1284 of 4199

 

ગાથા–૧૨૬

तथाहि–

जं कुणदि भावमादा कत्ता सो होदि तस्स कम्मस्स।
णाणिस्स स णाणमओ अण्णाणमओ अणाणिस्स।। १२६ ।।

यं करोति भावमात्मा कर्ता स भवति तस्य कर्मणः।
ज्ञानिनः स ज्ञानमयोऽज्ञानमयोऽज्ञानिनः।। १२६ ।।

જ્ઞાની જ્ઞાનમય ભાવનો અને અજ્ઞાની અજ્ઞાનમય ભાવનો કર્તા છે એમ હવે કહે છેઃ-

જે ભાવને આત્મા કરે, કર્તા બને તે કર્મનો;
તે જ્ઞાનમય છે જ્ઞાનીનો, અજ્ઞાનમય અજ્ઞાનીનો. ૧૨૬.

ગાથાર્થઃ– [आत्मा] આત્મા [यं भावम्] જે ભાવને [करोति] કરે છે [तस्य कर्मणः] તે ભાવરૂપ કર્મનો [सः] તે [कर्ता] કર્તા [भवति] થાય છે; [ज्ञानिनः] જ્ઞાનીને તો [सः] તે ભાવ [ज्ञानमयः] જ્ઞાનમય છે અને [अज्ञानिनः] અજ્ઞાનીને [अज्ञानमयः] અજ્ઞાનમય છે.

ટીકાઃ– આ રીતે આ આત્મા સ્વયમેવ પરિણામસ્વભાવવાળો છે તોપણ પોતાના જે ભાવને કરે છે તે ભાવનો જ-કર્મપણાને પામેલાનો-કર્તા તે થાય છે (અર્થાત્ તે ભાવ આત્માનું કર્મ છે અને આત્મા તેનો કર્તા છે). તે ભાવ જ્ઞાનીને જ્ઞાનમય જ છે કારણ કે તેને સમ્યક્ પ્રકારે સ્વપરના વિવેક વડે (સર્વ પરદ્રવ્યભાવોથી) ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત ઉદય પામી છે. અને તે ભાવ અજ્ઞાનીને તો અજ્ઞાનમય જ છે કારણ કે તેને સમ્યક્ પ્રકારે સ્વપરનો વિવેક નહિ હોવાને લીધે ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત અસ્ત થઈ ગઈ છે.

ભાવાર્થઃ– જ્ઞાનીને તો સ્વપરનું ભેદજ્ઞાન થયું છે તેથી તેને પોતાના જ્ઞાનમય ભાવનું જ કર્તાપણું છે; અને અજ્ઞાનીને સ્વપરનું ભેદજ્ઞાન નથી તેથી તેને અજ્ઞાનમય ભાવનું જ કર્તાપણું છે.

* * *
સમયસાર ગાથા ૧૨૬ઃ મથાળું

જ્ઞાની જ્ઞાનમય ભાવનો અને અજ્ઞાની અજ્ઞાનમય ભાવનો કર્તા છે એમ હવે કહે છેઃ-