Pravachan Ratnakar (Gujarati). Gatha: 128-129.

< Previous Page   Next Page >


PDF/HTML Page 1301 of 4199

 

ગાથા ૧૨૮–૧૨૯
णाणमया भावाओ णाणमओ चेव जायदे भावो।
जम्हा तम्हा णाणिस्स सव्वे भावा हु णाणमया।। १२८ ।।

अण्णाणमया भावा अण्णाणो चेव जायदे भावो।
जम्हा तम्हा भावा अण्णाणमया अणाणिस्स।। १२९ ।।
ज्ञानमयाद्भावात् ज्ञानमयश्चैव जायते भावः।
यस्मात्तस्माज्ज्ञानिनः सर्वे भावाः खलु ज्ञानमयाः।। १२८ ।।

अज्ञानमयाद्भावादज्ञानश्चैव जायते भावः।
यस्मात्तस्माद्भावा अज्ञानमया अज्ञानिनः।। १२९ ।।

આ જ પશ્નના ઉત્તરરૂપ ગાથા કહે છેઃ-

વળી જ્ઞાનમય કો ભાવમાંથી જ્ઞાનભાવ જ ઊપજે,
તે કારણે જ્ઞાની તણા સૌ ભાવ જ્ઞાનમયી ખરે; ૧૨૮.

અજ્ઞાનમય કો ભાવથી અજ્ઞાનભાવ જ ઊપજે,
તે કારણે અજ્ઞાનીના અજ્ઞાનમય ભાવો બને. ૧૨૯.

ગાથાર્થઃ– [यस्मात्] કારણ કે [ज्ञानमयात् भावात् च] જ્ઞાનમય ભાવમાંથી

[ज्ञानमयः एव] જ્ઞાનમય જ [भावः] ભાવ [जायते] ઉત્પન્ન થાય છે [तस्मात्] તેથી [ज्ञानिनः] જ્ઞાનીના [सर्वे भावाः] સર્વ ભાવો [खलु] ખરેખર [ज्ञानमयाः] જ્ઞાનમય જ હોય છે. [च] અને, [यस्मात्] કારણ કે [अज्ञानमयात् भावात्] અજ્ઞાનમય ભાવમાંથી [अज्ञानः एव] અજ્ઞાનમય જ [भावः] ભાવ [जायते] ઉત્પન્ન થાય છે [तस्मात्] તેથી [अज्ञानिनः] અજ્ઞાનીના [भावाः] ભાવો [अज्ञानमयाः] અજ્ઞાનમય જ હોય છે.

ટીકાઃ– ખરેખર અજ્ઞાનમય ભાવમાંથી જે કોઈ પણ ભાવ થાય છે તે સઘળોય

અજ્ઞાનમયપણાને નહિ ઉલ્લંઘતો થકો અજ્ઞાનમય જ હોય છે, તેથી અજ્ઞાનીના ભાવો બધાય અજ્ઞાનમય હોય છે. અને જ્ઞાનમય ભાવમાંથી જે કોઈ પણ ભાવ થાય છે તે સઘળોય જ્ઞાનમયપણાને નહિ ઉલ્લંઘતો થકો જ્ઞાનમય જ હોય છે, તેથી જ્ઞાનીના ભાવો બધાય જ્ઞાનમય હોય છે.