Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1361 of 4199

 

૩૦૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ

* કળશઃ ૭૨ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *
‘रक्तः’ જીવ રાગી છે ‘एकस्य’ એવો એક નયનો પક્ષ છે. એક જીવ એમ કહે છે કે

જીવ રાગી છે, રાગવાળો છે, રાગ એનો સ્વભાવ છે. આ એક વ્યવહારનયનો પક્ષ છે.

‘न तथा’ જીવ રાગી નથી ‘परस्य’ એવો બીજા નયનો પક્ષ છે. બીજો જીવ કહે છે કે

જીવ રાગી નથી, એના સ્વરૂપમાં રાગ નથી, એ તો વીતરાગ ચૈતન્યમૂર્તિ છે. આ નિશ્ચયનયનો પક્ષ છે.

‘इति’ આમ ‘चिति’ ચિત્સ્વરૂપ જીવ વિષે ‘द्वयोः’ બે નયોના ‘द्वौ पक्षपातौ’ બે

પક્ષપાત છે. આવા જે બે પ્રકારે વિકલ્પ ઊઠે છે તે રાગ છે, બંધનું કારણ છે. હવે કહે છે-

‘यः तत्त्ववेदी च्युतपक्षपातः’ જે તત્ત્વવેદી છે તે પક્ષપાત રહિત છે. ‘तस्य’ તેને

‘नित्यं’ નિરંતર ‘चित्’ ચિત્સ્વરૂપ જીવ ‘खलु चित् एव अस्ति’ ચિત્સ્વરૂપ જ છે.

હું અરાગી છું એવો જે વિકલ્પ તેનાથી રહિત થઈને તત્ત્વવેદી પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપને વેદે છે. હું અરાગી છું એવો જે વિકલ્પ છે એ તો દુઃખરૂપ છે. એવા વિકલ્પથી હઠી જે ત્રિકાળ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માને વેદે છે, અનુભવે છે તે સમકિતી ધર્મી છે.

સમ્યગ્જ્ઞાનદીપિકામાં બહુ સરસ વાત કરી છે. વિશ્વમાં છ દ્રવ્ય છે. તેનાથી ભિન્ન ભગવાન આત્મા ‘સપ્તમ્ દ્રવ્ય’ છે. એમ કે જગતમાં છ દ્રવ્યો છે એનાથી ભિન્ન હું સપ્તમ્ દ્રવ્ય છું-આવા વિકલ્પના પક્ષને છોડીને પોતાના નિર્મળ આનંદસ્વરૂપનો અનુભવ કરવો એનું નામ સમ્યગ્દર્શન છે.

સમયસાર ગાથા ૪૯ ની ટીકામાં ‘અવ્યક્ત’ના છ બોલ છે. સમ્યગ્જ્ઞાનદીપિકામાં તેના પ્રથમ બોલનો આમ અર્થ કર્યો છે-છ દ્રવ્યસ્વરૂપ લોક જ્ઞેય છે તે વ્યક્ત છે, તેનાથી ભિન્ન આત્મા સપ્તમ્ દ્રવ્ય છે તે અવ્યક્ત છે. એમ કે એકકોર રાજા અને એકકોર આખું ગામ; એકકોર ચૈતન્ય મહાપ્રભુ આતમરામ સપ્તમ્ દ્રવ્ય અને એક કોર પોતાથી ભિન્ન વિશ્વના છ દ્રવ્યો. આવો માર્ગ છે, પ્રભુ!

વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થશે, એનાથી ધર્મ થશે એ તો જીવને અનાદિનું મિથ્યાશલ્ય છે. જીવ અરાગી છે એ વાત તો સાચી છે, સત્યાર્થ છે, પણ એવો અંદર વિકલ્પ ઉઠાવવો એ રાગ છે. ધર્મી જીવ આવા બંને પક્ષપાતથી રહિત છે. તેને ચિત્સ્વરૂપ જીવ નિરંતર ચિત્સ્વરૂપ જ અનુભવાય છે.

* * *

સમયસાર ગાથા-૧૪૨ ] [ ૩૦૧