Pravachan Ratnakar (Gujarati). Gatha: 11.

< Previous Page   Next Page >


PDF/HTML Page 139 of 4199

 


જીવ–અજીવ અધિકાર
ગાથા–૧૧

कुतो व्यवहारनयो नानुसर्तव्य इति चेत्–

ववहारोऽभूदत्थो भूदत्थो देसिदो दु सुद्धणओ।
भूदत्थमस्सिदो खलु सम्मादिट्ठी हवदि जीवो।।
११।।

व्यवहारोऽभूतार्थो भूतार्थो दर्शितस्तु शुद्धनयः।
भूतार्थमाश्रितः
खलु सम्यग्द्रष्टिर्भवति जीवः।। ११।।

વ્યવહારનય અભૂતાર્થ દર્શિત, શુદ્ધનય ભૂતાર્થ છે;
ભૂતાર્થને આશ્રિત જીવ સુદ્રષ્ટિ નિશ્ચય હોય છે. ૧૧

હવે વળી એવો પ્રશ્ન ઊઠે છે કે-પહેલાં એમ કહ્યું હતું કે વ્યવહારને અંગીકાર ન કરવો, પણ જો તે પરમાર્થનો કહેનાર છે તો એવા વ્યવહારને કેમ અંગીકાર ન કરવો? તેના ઉત્તરરૂપ ગાથાસૂત્ર કહે છેઃ-

ગાથાર્થઃ– [व्यवहारः] વ્યવહારનય [अभूतार्थः] અભૂતાર્થ છે [तु] અને [शुद्धनयः] શુદ્ધનય [भूतार्थः] ભૂતાર્થ છે એમ [दर्शितः] ઋષીશ્વરોએ દર્શાવ્યું છે; [जीवः] જે જીવ [भूतार्थ] ભૂતાર્થનો [आश्रितः] આશ્રય કરે છે તે જીવ [खलु] નિશ્ચયથી [सम्यग्द्रष्टिः] સમ્યગ્દ્રષ્ટિ [भवति] છે.

ટીકાઃ– વ્યવહારનય બધોય અભૂતાર્થ હોવાથી અવિદ્યમાન, અસત્ય, અભૂત અર્થને પ્રગટ કરે છે; શુદ્ધનય એક જ ભૂતાર્થ હોવાથી વિદ્યમાન, સત્ય, ભૂત અર્થને પ્રગટ કરે છે. આ વાત દ્રષ્ટાંતથી બતાવીએ છીએઃ-જેમ પ્રબળ કાદવના મળવાથી જેનો સહજ એક નિર્મળભાવ તિરોભૂત (આચ્છાદિત) થઈ ગયો છે એવા જળનો અનુભવ કરનારા પુરુષો-જળ અને કાદવનો વિવેક નહિ કરનારા ઘણા તો, તેને (જળને) મલિન જ અનુભવે છે; પણ કેટલાક પોતાના હાથથી નાખેલા કતકફળ-(નિર્મળી ઔષધિ)ના પડવામાત્રથી ઊપજેલા