पक्षातिक्रान्त एव समयसार इत्यवतिष्ठते–
सव्वणयपक्खरहिदो भणिदो जो सो समयसारो।। १४४ ।।
सर्वनयपक्षरहितो भणितो यः स समयसारः।। १४४ ।।
પક્ષાતિક્રાંત જ સમયસાર છે એમ નિયમથી ઠરે છે-એમ હવે કહે છેઃ-
નયપક્ષ સકલ રહિત ભાખ્યો તે ‘સમયનો સાર’ છે. ૧૪૪.
આવ્યો છે [सः] તે [समयसारः] સમયસાર છે; [एषः] આને જ (-સમયસારને જ) [केवलं] કેવળ [सम्यग्दर्शनज्ञानम्] સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન [इति] એવી [व्यपदेशम्] સંજ્ઞા (નામ) [लभते] મળે છે. (નામ જુદાં હોવા છતાં વસ્તુ એક જ છે.)
વિકલ્પોનો વ્યાપાર અટકી ગયો છે એવો છે, તે સમયસાર છે; ખરેખર આ એકને જ કેવળ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનનું નામ મળે છે. (સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન સમયસારથી જુદાં નથી, એક જ છે.)
પ્રથમ, શ્રુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાનસ્વભાવ આત્માનો નિશ્ચય કરીને, પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે, પર પદાર્થની પ્રસિદ્ધિનાં કારણો જે ઇંદ્રિયદ્વારા અને મન દ્વારા પ્રવર્તતી બુદ્ધિઓ તે બધીને મર્યાદામાં લાવીને જેણે મતિજ્ઞાન-તત્ત્વને (-મતિજ્ઞાનના સ્વરૂપને) આત્મસંમુખ કર્યું છે એવો, તથા નાના પ્રકારના નયપક્ષોના આલંબનથી થતા અનેક વિકલ્પો વડે આકુળતા ઉત્પન્ન કરનારી શ્રુતજ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને શ્રુતજ્ઞાન-તત્ત્વને પણ આત્મસંમુખ કરતો, અત્યંત વિકલ્પરહિત થઇને, તત્કાળ નિજ રસથી જ પ્રગટ થતા, આદિ-મધ્ય-અંત રહિત, અનાકુળ, કેવળ એક, આખાય વિશ્વના ઉપર જાણે કે તરતો હોય તેમ અખંડ પ્રતિભાસમય, અનંત, વિજ્ઞાનઘન, પરમાત્મારૂપ સમયસારને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યક્પણે