Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1405 of 4199

 

૩૪૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ

(शार्दूलविक्रीडित)
आक्रामन्नविकल्पभावमचलं पक्षैर्नयानां विना
सारो यः समयस्य भाति निभृतैरास्वाद्यमानः स्वयम्।
विज्ञानैकरसः स एष भगवान्पुण्यः पुराणः पुमान्
ज्ञानं दर्शनमप्ययं किमथवा यत्किञ्चनैकोऽप्ययम्।। ९३ ।।

(शार्दूलविक्रीडित)
दूरं भूरिविकल्पजालगहने भ्राम्यन्निजौघाच्च्युतो
दूरादेव विवेकनिम्नगमनान्नीतो निजौघं बलात्।
विज्ञानैकरसस्तदेकरसिनामात्मानमात्माहरन्
आत्मन्येव सदा गतानुगततामायात्ययं तोयवत्।। ९४ ।।

દેખાય છે (અર્થાત્ શ્રદ્ધાય છે) અને જણાય છે તેથી સમયસાર જ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે.

ભાવાર્થઃ– આત્માને પહેલાં આગમજ્ઞાનથી જ્ઞાનસ્વરૂપ નિશ્ચય કરીને પછી ઇંદ્રિયબુદ્ધિરૂપ મતિજ્ઞાનને જ્ઞાનમાત્રમાં જ મેળવી દઈને, તથા શ્રુતજ્ઞાનરૂપી નયોના વિકલ્પોને મટાડી શ્રુતજ્ઞાનને પણ નિર્વિકલ્પ કરીને, એક અખંડ પ્રતિભાસનો અનુભવ કરવો તેજ ‘સમ્યગ્દર્શન’ અને ‘સમ્યગ્જ્ઞાન’ એવાં નામ પામે છે; સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન કાંઇ અનુભવથી જુદાં નથી.

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-

શ્લોકાર્થઃ– [नयानां पक्षैः विना] નયોના પક્ષો રહિત, [अचलं अविकल्पभावम्] અચળ નિર્વિકલ્પભાવને [आक्रामन्] પામતો [यः समयस्य सारः भाति] જે સમયનો (આત્માનો) સાર પ્રકાશે છે [सः एषः] તે આ સમયસાર (શુદ્ધ આત્મા) - [निभृतैः स्वयम् आस्वाद्यमानः] કે જે નિભૃત (નિશ્ચળ, આત્મલીન) પુરુષો વડે સ્વયં આસ્વાદ્યમાન છે (-આસ્વાદ લેવાય છે, અનુભવાય છે) તે- [विज्ञान–एक–रसः भगवान्] વિજ્ઞાન જ જેનો એક રસ છે એવો ભગવાન છે, [पुण्यः पुराणः पुमान्] પવિત્ર પુરાણ પુરુષ છે; [ज्ञानं दर्शनम् अपि अयं] જ્ઞાન કહો કે દર્શન કહો તે આ (સમયસાર) જ છે; [अथवा किम्] અથવા વધારે શું કહીએ? [यत् किञ्चन अपि अयम् एकः] જે કાંઈ છે તે આ એક જ છે (-માત્ર જુદાં જુદાં નામથી કહેવાય છે). ૯૩.

આ આત્મા જ્ઞાનથી ચ્યુત થયો હતો તે જ્ઞાનમાં જ આવી મળે છે એમ હવે કહે છેઃ-

શ્લોકાર્થઃ– [तोयवत्] જેમ પાણી પોતાના સમૂહથી ચ્યુત થયું થકું દૂર ગહન વનમાં ભમતું હોય તેને દૂરથી જ ઢાળવાળા માર્ગ દ્વારા પોતાના સમૂહ તરફ બળથી