૩૪૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ
यस्तु वेत्ति स तु वेत्ति केवलम्।
यः करोति न हि वेत्ति स क्वचित्
यस्तु वेत्ति न करोति स क्वचित्।। ९६ ।।
ज्ञप्तौ करोतिश्च न भासतेऽन्तः।
ज्ञप्तिः करोतिश्च ततो विभिन्ने
ज्ञाता न कर्तेति ततः स्थितं च।। ९७ ।।
અને [यः वेत्ति सः तु केवलम् वेत्ति] જે જાણે છે તે કેવળ જાણે જ છે; [यः करोति सः क्वचित् न हि वेत्ति] જે કરે છે તે કદી જાણતો નથી [तु] અને [यः वेत्ति सः क्वचित् न करोति] જે જાણે છે તે કદી કરતો નથી.
જાણવારૂપ ક્રિયા ભાસતી નથી [च] અને [ज्ञप्तौ अन्तः करोतिः न भासते] જાણવારૂપ ક્રિયાની અંદરમાં કરવારૂપ ક્રિયા ભાસતી નથી; [ततः ज्ञप्तिः करोतिः च विभिन्ने] માટે જ્ઞપ્તિક્રિયા અને ‘કરોતિ’ ક્રિયા બન્ને ભિન્ન છે; [च ततः इति स्थितं] અને તેથી એમ ઠર્યું કે [ज्ञाता कर्ता न] જે જ્ઞાતા છે તે કર્તા નથી.
કર્તાભાવરૂપ પરિણમનક્રિયા કરતો હોવાથી અર્થાત્ ‘કરોતિ’ ક્રિયા કરતો હોવાથી કર્તા જ છે અને જ્યારે ‘હું પરદ્રવ્યને જાણું છું’ એમ પરિણમે છે ત્યારે જ્ઞાતાભાવે પરિણમતો હોવાથી અર્થાત્ જ્ઞપ્તિક્રિયા કરતો હોવાથી જ્ઞાતા જ છે.
અહીં કોઈ પૂછે છે કે અવિરત-સમ્યગ્દ્રષ્ટિ આદિને જ્યાં સુધી ચારિત્રમોહનો ઉદય છે ત્યાં સુધી તે કષાયરૂપે પરિણમે છે તો તેને કર્તા કહેવાય કે નહિ? તેનું સમાધાનઃ-અવિરત- સમ્યગ્દ્રષ્ટિ વગેરેને શ્રદ્ધા-જ્ઞાનમાં પરદ્રવ્યના સ્વામીપણારૂપ કર્તાપણાનો અભિપ્રાય નથી; કષાયરૂપ પરિણમન છે તે ઉદયની બળજોરીથી છે; તેનો તે જ્ઞાતા છે; તેથી અજ્ઞાન સંબંધી કર્તાપણું તેને નથી. નિમિત્તની બળજોરીથી થતા પરિણમનનું ફળ કિંચિત્ હોય છે તે સંસારનું કારણ નથી. જેમ વૃક્ષની જડ કાપ્યા પછી તે વૃક્ષ કિંચિત્ કાળ રહે