Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1408 of 4199

 

સમયસાર ગાથા-૧૪૪ ] [ ૩૪૭

(शार्दूलविक्रीडित)
कर्ता कर्मणि नास्ति नास्ति नियतं कर्मापि तत्कर्तरि
द्वन्द्वं विप्रतिषिध्यते यदि तदा का कर्तृकर्मस्थितिः।
ज्ञाता ज्ञातरि कर्म कर्मणि सदा व्यक्तेति वस्तुस्थिति–
र्नेपथ्ये बत नानटीति रभसा मोहस्तथाप्येष किम्।। ९८।।

अथवा नानटयतां, तथापि–

(मंदाक्रान्ता)
कर्ता कर्ता भवति न यथा कर्म कर्मापि नैव
ज्ञानं ज्ञानं भवति च यथा पुद्गलः पुद्गलोऽपि।
ज्ञानज्योतिर्ज्वलितमचलं व्यक्तमन्तस्तथोच्चै–
श्चिच्छक्तीनां निकरभरतोऽत्यन्तगम्भीरमेतत्।। ९९।।

અથવા ન રહે-ક્ષણે ક્ષણે તેનો નાશ જ થતો જાય છે, તેમ અહીં સમજવું. ૯૭.

ફરીને એ જ વાતને દ્રઢ કરે છેઃ-

શ્લોકાર્થઃ– [कर्ता कर्मणि नास्ति, कर्म तत् अपि नियतं कर्तरि नास्ति] કર્તા નક્કી કર્મમાં નથી, અને કર્મ છે તે પણ નક્કી કર્તામાં નથી- [यदि द्वन्द्वं विप्रतिषिध्यते] એમ જો બન્નેનો પરસ્પર નિષેધ કરવામાં આવે છે [तदा कर्तृकर्मस्थितिः का] તો કર્તાકર્મની સ્થિતિ શી? (અર્થાત્ જીવ-પુદ્ગલને કર્તાકર્મપણું ન જ હોય શકે.) [ज्ञाता ज्ञातरि, कर्म सदा कर्मणि] આ પ્રમાણે જ્ઞાતા સદા જ્ઞાતામાં જ છે અને કર્મ સદા કર્મમાં જ છે [इति वस्तुस्थितिः व्यक्ता] એવી વસ્તુસ્થિતિ પ્રગટ છે [तथापि बत] તોપણ અરે! [नेपथ्ये एषः मोहः किम् रभसा नानटीति] નેપથ્યમાં આ મોહ કેમ અત્યંત જોરથી નાચી રહ્યો છે? (એમ આચાર્યને ખેદ અને આશ્ચર્ય થાય છે.)

ભાવાર્થઃ– કર્મ તો પુદ્ગલ છે, તેનો કર્તા જીવને કહેવામાં આવે તે અસત્ય છે. તે બન્નેને અત્યંત ભેદ છે, જીવ પુદ્ગલમાં નથી અને પુદ્ગલ જીવમાં નથી; તો પછી તેમને કર્તાકર્મભાવ કેમ હોઈ શકે? માટે જીવ તો જ્ઞાતા છે તે જ્ઞાતા જ છે, પુદ્ગલકર્મનો કર્તા નથી; અને પુદ્ગલકર્મ છે તે પુદ્ગલ જ છે, જ્ઞાતાનું કર્મ નથી. આચાર્યે ખેદપૂર્વક કહ્યું છે કે-આમ પ્રગટ ભિન્ન દ્રવ્યો છે તોપણ ‘હું કર્તા છું અને આ પુદ્ગલ મારું કર્મ છે’ એવો અજ્ઞાનીનો આ મોહ (-અજ્ઞાન) કેમ નાચે છે? ૯૮.

અથવા જો મોહ નાચે છે તો ભલે નાચો; તથાપિ વસ્તુસ્વરૂપ તો જેવું છે તેવું જ છે- એમ હવે કહે છેઃ-

શ્લોકાર્થઃ– [अचलं] અચળ, [व्यक्तं] વ્યક્ત અને [चित्–शक्तीनां निकर–भरतः