Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1423 of 4199

 

૩૬૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ

જેમાં ગુણ-પર્યાયના ખંડ નથી, ભેદ નથી, ભંગ નથી એવો અભેદ આત્મા પરિપૂર્ણરૂપે જ્ઞાનમાં પ્રતિભાસે છે તે અખંડ પ્રતિભાસમય છે. જ્ઞાનમાં અખંડનો પ્રતિભાસ થવો તે સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે.

૬. અનંત, વિજ્ઞાનઘન છે. જેમાં સૂક્ષ્મ રાગનો પણ કદી પ્રવેશ નથી એવો અનંત વિજ્ઞાનઘનસ્વરૂપ સમયસાર છે.

૭. આવો પરમાત્મરૂપ સમયસાર છે. દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મથી ભિન્ન ચિત્સ્વરૂપ સદા સિદ્ધસ્વરૂપ એવો પરમાત્મરૂપ સમયસાર છે.

આવા સમયસારને જ્યારે આત્મા વિકલ્પરહિત થઈને અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યક્પણે શ્રદ્ધામાં આવે છે અને જ્ઞાનમાં જણાય છે. તેથી સમયસાર જ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે.

ગાથા ૧૪૪ઃ ભાવાર્થ

આત્માને પહેલાં આગમજ્ઞાનથી જ્ઞાનસ્વરૂપ નિશ્ચય કરીને પછી ઇન્દ્રિયબુદ્ધિરૂપ મતિજ્ઞાનને જ્ઞાનમાત્રમાં જ મેળવી દઈને, તથા શ્રુતજ્ઞાનરૂપી નયોના વિકલ્પો મટાડી શ્રુતજ્ઞાનને પણ નિર્વિકલ્પ કરીને, એક અખંડ પ્રતિભાસનો અનુભવ કરવો તે જ ‘સમ્યગ્દર્શન’ અને ‘સમ્યગ્જ્ઞાન’ એવાં નામ પામે છે; સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન કાંઈ અનુભવથી જુદાં નથી.

* * *

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-

* કળશ ૯૩ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘नयानां पक्षैः विना’ નયોના પક્ષો રહિત, ‘अचलं अविकल्पभावम्’ અચળ નિર્વિકલ્પભાવને ‘आक्रामन्’ પામતો ‘यः समस्य सारः भाति’ જે સમયનો (આત્માનો) સાર પ્રકાશે છે ‘सः एषः’ તે આ સમયસાર (શુદ્ધ આત્મા)-‘निभृतैः स्वयं आस्वाद्यमानः’ કે જે નિભૃત (નિશ્ચળ, આત્મલીન) પુરુષો વડે સ્વયં આસ્વાદ્યમાન છે (-આસ્વાદ લેવાય છે, અનુભવાય છે) તે-’

આત્મા સદા વિજ્ઞાનઘનસ્વરૂપ છે. પર્યાયમાં જે દયા, દાન, વ્રત, ભક્તિ આદિ વ્યવહારના સ્થૂળ વિકલ્પ ઉઠે એ તો બહારની ચીજ છે. એ વિકલ્પ કાંઈ (આત્મ-પ્રાપ્તિનું) સાધન નથી. એ તો છે. અહીં કહે છે-હું દ્રવ્યે શુદ્ધ છું, અબદ્ધ છું અને પર્યાયે અશુદ્ધ છું, રાગથી બદ્ધ છું એવા જે બે નયના બે પક્ષ છે તે નિષેધવા યોગ્ય છે, સમયસાર ગાથા-૧૪૪ ] [ ૩૬૩