સમયસાર ગાથા-૧૪૪ ] [ ૩૭૯
એવી જ રીતે કરવારૂપ ક્રિયા અને જાણવારૂપ ક્રિયા બન્ને ભિન્ન છે એમ હવે કહે છેઃ-
ભાસતી નથી ‘च’ અને ‘ज्ञप्तौ अन्तः करोतिः न भासते’ જાણવારૂપ ક્રિયાની અંદરમાં કરવારૂપ ક્રિયા ભાસતી નથી.
શું કહે છે? જે જીવ રાગના પરિણામરૂપ ક્રિયા કરે છે તેને જાણવારૂપ મારો સ્વભાવ છે એમ ભાસતું નથી. શુભરાગની ક્રિયા મારી છે એમ જે માને તે જ્ઞાતાપણાની ક્રિયા કરી શકતો નથી. જુઓ, અહીં જડની ક્રિયાની અત્યારે વાત નથી. પુદ્ગલનો કર્તા આત્મા નથી એ વાત પછી કરશે. અહીં તો અત્યારે અશુદ્ધતા અને આત્મા એ બે વચ્ચેની વાત છે. કહે છે-હું રાગની ક્રિયા કરું છું એમ જેને ભાસે છે તેને જાણનક્રિયા છે જ નહિ, છે નહિ એટલે ભાસતી નથી. ગંભીર વાત છે, ભાઈ!
શુભરાગની ક્રિયા હું કરું છું એમ માને એ તો નપુંસકતા છે, કેમકે તે આત્માના વીર્યનું કાર્ય નથી. આત્મામાં વીર્ય નામનો એક ગુણ છે, શક્તિ છે. જ્ઞાતાપણાની રચના કરવી તે એનું કાર્ય છે, રાગની રચના કરવી તે એનું કાર્ય નથી. રાગની રચના કરે એ તો નપુંસકતા છે. અહીં કહે છે-રાગની ક્રિયા કરવામાં જ્ઞાતાપણાની ક્રિયા ભાસતી નથી એટલે કે જાણવારૂપ ક્રિયા ત્યાં હોતી નથી. રાગની ક્રિયા કરવાના કાળમાં હું જ્ઞાતા છું એવી જ્ઞાનની દશા હોતી નથી. હોતી નથી એટલે ભાસતી નથી.
લોકો દયા, દાન, વ્રત આદિ બાહ્ય ક્રિયામાં રોકાઈને તેને ધર્મનું સાધન માને છે. પણ બાપુ! આવી માન્યતામાં તને ભારે નુકશાન છે. અહીં આ તારા હિતની વાત છે, આ કાંઈ તારા અનાદર માટે નથી, અહા! અંદર વિજ્ઞાનઘનસ્વભાવમય પ્રભુ પરિપૂર્ણ પરમાત્મા પડયો છે તેનો આદર છોડીને તું રાગની રચનામાં જોડાઈ જાય એ નપુંસકપણું છે, કેમકે તે કાળે શુદ્ધ જ્ઞાનની રચનારૂપ નિર્મળ ક્રિયા હોતી નથી, તેથી જ્ઞાનની ક્રિયા ત્યાં ભાસતી નથી.
રાગની ક્રિયાના કરવાપણામાં જ્ઞાતાપણાનું પરિણમન હોતું નથી. જ્ઞાતાપણાનું પરિણમન એટલે કે સ્વનું જ્ઞાન અને રાગનું જ્ઞાન-એવું જે જ્ઞાનનું પરિણમન તે અજ્ઞાનીને હોતું નથી. જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્માનું સંવેદન થઈને જે જાણવારૂપ ક્રિયા થાય છે તેને જ્ઞાનની ક્રિયા કહે છે. જ્ઞાનરૂપે, શ્રદ્ધારૂપે, વીતરાગી શાંતિરૂપે, આનંદરૂપે જે પરિણમન થાય તે જ્ઞાનની ક્રિયા છે. અહીં કહે છે આવી જ્ઞાનની ક્રિયાના કાળમાં (રાગના) કરવારૂપ ક્રિયા ભાસતી નથી. જ્ઞાનની ક્રિયામાં રાગની કરવારૂપ ક્રિયા હોતી નથી; હોતી નથી એટલે ભાસતી નથી.