अथोभयं कर्म प्रतिषेधयति–
साहीणो हि विणासो कुसीलसंसग्गरायेण।। १४७।।
स्वाधीनो हि विनाशः कुशीलसंसर्गरागेण।। १४७।।
હવે બન્ને કર્મોનો નિષેધ કરે છેઃ-
છે કુશીલના સંસર્ગ–રાગે નાશ સ્વાધીનતા તણો. ૧૪૭.
ગાથાર્થઃ– [तस्मात् तु] માટે [कुशीलाभ्यां] એ બન્ને કુશીલો સાથે [रागं] રાગ [मा कुरुत] ન કરો [वा] અથવા [संसर्गम् च] સંસર્ગ પણ [मा] ન કરો [हि] કારણ કે [कुशीलसंसर्गरागेण] કુશીલ સાથે સંસર્ગ અને રાગ કરવાથી [स्वाधीनः विनाशः] સ્વાધીનતાનો નાશ થાય છે (અથવા તો પોતાનો ઘાત પોતાથી જ થાય છે).
ટીકાઃ– જેમ કુશીલ (ખરાબ) એવી મનોરમ અને અમનોરમ હાથણીરૂપ કૂટણી સાથે રાગ અને સંસર્ગ (હાથીને) બંધનાં કારણ થાય છે તેવી રીતે કુશીલ એવાં શુભ અને અશુભ કર્મ સાથે રાગ અને સંસર્ગ બંધનાં કારણ હોવાથી, શુભાશુભ કર્મો સાથે રાગ અને સંસર્ગનો નિષેધ કરવામાં આવ્યો છે.
હવે બન્ને કર્મોનો નિષેધ કરે છેઃ-
‘જેમ કુશીલ (ખરાબ) એવી મનોરમ અને અમનોરમ હાથણીરૂપ કૂટણી સાથે રાગ અને સંસર્ગ (હાથીને) બંધનાં કારણ થાય છે...’-જુઓ, હાથીને પકડવા માટે