Pravachan Ratnakar (Gujarati). Gatha: 148-149.

< Previous Page   Next Page >


PDF/HTML Page 1517 of 4199

 

ગાથા ૧૪૮–૧૪૯

अथोभयं कर्म प्रतिषेध्यं स्वयं द्रष्टान्तेन समर्थयते–

जह णाम को वि पुरिसो कुच्छियसीलं जणं वियाणित्ता।
वज्जेदि तेण समयं संसग्गं रागकरणं च।। १४८।।
एमेव कम्मपयडीसीलसहावं च कुच्छिदं णादुं।
वज्जंति परिहरंति य तस्संसग्गं सहावरदा।। १४९।।

यथा नाम कोऽपि पुरुषः कुत्सितशीलं जनं विज्ञाय।
वर्जयति तेन समकं संसर्गं रागकरणं च।। १४८।।

एवमेव कर्मप्रकृतिशीलस्वभावं च कुत्सितं ज्ञात्वा।
वर्जयन्ति परिहरन्ति च तत्संसर्गं स्वभावरताः।। १४९।।

હવે, બન્ને કર્મ નિષેધવાયોગ્ય છે એ વાતનું ભગવાન કુંદકુંદાચાર્ય પોતે જ દ્રષ્ટાંતથી સમર્થન કરે છેઃ-

જેવી રીતે કો પુરુષ કુત્સિતશીલ જનને જાણીને,
સંસર્ગ તેની સાથ તેમ જ રાગ કરવો પરિતજે; ૧૪૮.

એમ જ કરમપ્રકૃતિશીલસ્વભાવ કુત્સિત જાણીને,
નિજ ભાવમાં રત રાગ ને સંસર્ગ તેનો પરિહરે. ૧૪૯.

ગાથાર્થઃ– [यथा नाम] જેમ [कोऽपि पुरुषः] કોઈ પુરુષ [कुत्सितशीलं] કુત્સિત શીલવાળા અર્થાત્ ખરાબ સ્વભાવવાળા [जनं] પુરુષને [विज्ञाय] જાણીને [तेन समकं] તેની સાથે [संसर्गं च रागकरणं] સંસર્ગ અને રાગ કરવો [वर्जयति] છોડી દે છે, [एवम् एव च] તેવી જ રીતે [स्वभावरताः] સ્વભાવમાં રત પુરુષો [कर्मप्रकृतिशीलस्वभावं] કર્મપ્રકૃતિના શીલ-સ્વભાવને [कुत्सितं] કુત્સિત અર્થાત્ ખરાબ [ज्ञात्वा] જાણીને [तत्संसर्गं] તેની સાથે સંસર્ગ [वर्जयन्ति] છોડી દે છે [परिहरन्ति च] અને રાગ છોડી દે છે.

ટીકાઃ– જેમ કોઈ કુશળ વન-હસ્તી પોતાના બંધને માટે સમીપ આવતી સુંદર મુખવાળી મનોરમ કે અમનોરમ હાથણીરૂપી કૂટણીને પરમાર્થે બૂરી જાણીને