Pravachan Ratnakar (Gujarati). Gatha: 152.

< Previous Page   Next Page >


PDF/HTML Page 1553 of 4199

 

ગાથા–૧પ૨

अथ ज्ञानं विधापयति–

परमट्ठम्हि दु अठिदो जो कुणदि तवं वदं च धारेदि।
तं सव्वं बालतवं बालवदं बेंति सव्वण्हू।। १५२ ।।
परमार्थे त्वस्थितः यः करोति तपो व्रतं च धारयति।
तत्सर्वं बालतपो बालव्रतं ब्रुवन्ति सर्वज्ञः।। १५२ ।।

હવે, આગમમાં પણ જ્ઞાનને જ મોક્ષનું કારણ કહ્યું છે એમ બતાવે છેઃ-

પરમાર્થમાં અણસ્થિત જે તપને કરે, વ્રતને ઘરે,
સઘળુંય તે તપ બાળ ને વ્રત બાળ સર્વજ્ઞો કહે. ૧પ૨.

ગાથાર્થઃ– [परमार्थे तु] પરમાર્થમાં [अस्थितः] અસ્થિત [यः] એવો જે જીવ [तपः करोति] તપ કરે છે [च] તથા [व्रतं धारयति] વ્રત ધારણ કરે છે, [तत्सर्व] તેનાં તે સર્વ તપ અને વ્રતને [सर्वज्ञाः] સર્વજ્ઞો [बालतपः] બાળતપ અને [बालव्रतं] બાળવ્રત [ब्रुवन्ति] કહે છે.

ટીકાઃ– આગમમાં પણ જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાવ્યું છે (એમ સિદ્ધ થાય છે); કારણ કે જે જીવ પરમાર્થભૂત જ્ઞાનથી રહિત છે તેનાં, અજ્ઞાનપૂર્વક કરવામાં આવેલાં વ્રત, તપ આદિ કર્મો બંધનાં કારણ હોવાને લીધે તે કર્મોને ‘બાળ’ એવી સંજ્ઞા આપીને નિષેધ્યાં હોવાથી જ્ઞાન જ મોક્ષનું કારણ ઠરે છે.

ભાવાર્થઃ– જ્ઞાન વિના કરાયેલાં તપ તથા વ્રતને સર્વજ્ઞદેવે બાળતપ તથા બાળવ્રત (અર્થાત્ અજ્ઞાનતપ તથા અજ્ઞાનવ્રત) કહ્યાં છે, માટે મોક્ષનું કારણ જ્ઞાન જ છે.

* * *

સમયસાર ગાથા ૧પ૨ઃ મથાળું

હવે, આગમમાં પણ જ્ઞાનને જ મોક્ષનું કારણ કહ્યું છે એમ બતાવે છેઃ-

* ગાથા ૧પ૨ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘આગમમાં પણ જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાવ્યું છે. (એમ સિદ્ધ થાય છે);...’

જુઓ, વીતરાગ અરિહંતદેવની દિવ્યધ્વનિમાં જે ઉપદેશ આવ્યો તે આગમ છે.