Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1557 of 4199

 

૯૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬

(शिखरिणी)
यदेतद् ज्ञानात्मा ध्रुवमचलमाभाति भवनं
शिवस्यायं हेतुः स्वयमपि यतस्तच्छिव इति।
अतोऽन्यद्बन्धस्य स्वयमपि यतो बन्ध इति तत्
ततो ज्ञानात्मत्वं भवनमनुभूतिर्हि विहितम्।। १०५ ।।

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-

શ્લોકાર્થઃ– [यद् एतद् ध्रुवम् अचलम् ज्ञानात्मा भवनम् आभाति] જે આ જ્ઞાનસ્વરૂપ આત્મા ધ્રુવપણે અને અચળપણે જ્ઞાનસ્વરૂપે થતો-પરિણમતો ભાસે છે [अयं शिवस्य हेतुः] તે જ મોક્ષનો હેતુ છે [यतः] કારણ કે [तत् स्वयम् अपि शिवः इति] તે પોતે પણ મોક્ષસ્વરૂપ છે; [अतः अन्यत्] તેના સિવાય જે અન્ય કાંઈ છે [बन्धस्य] તે બંધનો હેતુ છે [यतः] કારણ કે [तत् स्वयम् अपि बन्धः इति] તે પોતે પણ બંધસ્વરૂપ છે. [ततः] માટે [ज्ञानात्मत्वं भवनम्] જ્ઞાનસ્વરૂપ થવાનું (-જ્ઞાનસ્વરૂપ પરિણમવાનું) એટલે કે [अनुभूतिः हि] અનુભૂતિ કરવાનું જ [विहितम्] આગમમાં વિધાન અર્થાત્ ફરમાન છે. ૧૦પ.

* * *

સમયસાર ગાથા ૧પ૩ઃ મથાળું

જ્ઞાન જ મોક્ષનો હેતુ છે અને અજ્ઞાન જ બંધનો હેતુ છે એવો નિયમ છે એમ હવે કહે છેઃ-

* ગાથા ૧પ૩ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘જ્ઞાન જ મોક્ષનો હેતુ છે.’ જ્ઞાન એટલે શુદ્ધ ચૈતન્યસ્વભાવી આત્મા જ મોક્ષનો હેતુ છે કેમકે એ પોતે મોક્ષસ્વરૂપ છે. આત્મા પોતે મોક્ષસ્વરૂપ છે માટે તે મોક્ષનો હેતુ છે.

‘કારણ કે તેના (-જ્ઞાનના) અભાવમાં, પોતે જ અજ્ઞાનરૂપ થયેલા અજ્ઞાનીઓને અંતરંગમાં વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભકર્મોનો સદ્ભાવ (હયાતી) હોવા છતાં મોક્ષનો અભાવ છે.’

જોયું? ભગવાન આત્મા ચિદાનંદઘન પ્રભુ પોતે મોક્ષસ્વરૂપ છે અને મોક્ષનું કારણ છે એવું જ્ઞાન નહિ હોવાથી અજ્ઞાનીઓ પોતે જ અજ્ઞાનરૂપ થયા છે. કોઈ કર્મે અજ્ઞાનરૂપ કર્યા છે વા કર્મને લઈને અજ્ઞાનરૂપ થયા છે એમ નહિ, પણ પોતાના પરમેશ્વર ચૈતન્યઘન પ્રભુ આત્માનું ભાન નહિ કરવાથી પોતે જ અજ્ઞાનરૂપ થયા છે. એવા અજ્ઞાનીઓને અંતરંગમાં વ્રતના પરિણામ, નિયમના અભિગ્રહાદિ ભાવ, શીલનો