अथ पुनरपि पुण्यकर्मपक्षपातिनः प्रतिबोधनायोपक्षिपति–
संसारगणहेदुं पि मोक्खहेदुं अजाणंता।। १५४ ।।
संसारगमनहेतुमपि मोक्षहेतुमजानन्तः।। १५४ ।।
હવે ફરીને પણ, પુણ્યકર્મના પક્ષપાતીને સમજાવવા માટે તેનો દોષ બતાવે છેઃ-
અજ્ઞાનથી તે પુણ્ય ઇચ્છે હેતુ જે સંસારનો. ૧પ૪.
ગાથાર્થઃ– [ये] જેઓ [परमार्थबाह्यः] પરમાર્થથી બાહ્ય છે [ते] તેઓ [मोक्षहेतुम्] મોક્ષના હેતુને [अजानन्तः] નહિ જાણતા થકા- [संसारगमनहेतुम् अपि] જોકે પુણ્ય સંસારગમનનો હેતુ છે તોપણ- [अज्ञानेन] અજ્ઞાનથી [पुण्यम्] પુણ્યને (મોક્ષનો હેતુ જાણીને) [इच्छन्ति] ઇચ્છે છે.
ટીકાઃ– સમસ્ત કર્મના પક્ષનો નાશ કરવાથી ઊપજતો જે આત્મલાભ (-નિજ સ્વરૂપની પ્રાપ્તિ) તે આત્મલાભસ્વરૂપ મોક્ષને આ જગતમાં કેટલાક જીવો ઇચ્છતા હોવા છતાં, મોક્ષના કારણભૂત સામાયિકની-કે જે સામાયિક સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રસ્વભાવવાળા પરમાર્થભૂત જ્ઞાનના * ભવનમાત્ર છે, એકાગ્રતાલક્ષણવાળું છે અને સમયસારસ્વરૂપ છે તેની- પ્રતિજ્ઞા લઇને પણ, દુરંત કર્મચક્રને પાર ઊતરવાની નામર્દાઇને લીધે (અસમર્થતાને લીધે) પરમાર્થભૂત જ્ઞાનના ભવનમાત્ર જે સામાયિક તે સામાયિકસ્વરૂપ આત્મસ્વભાવને નહિ પામતા થકા, જેમને અત્યંત સ્થૂળ સંકલેશપરિણામરૂપ કર્મો નિવૃત્ત થયાં છે અને અત્યંત સ્થૂલ વિશુદ્ધપરિણામરૂપ કર્મો પ્રવર્તે છે એવા તેઓ, કર્મના અનુભવના ગુરુપણા-લધુપણાની પ્રાપ્તિમાત્રથી જ સંતુષ્ટ ચિત્તવાળા થયા થકા, (પોતે) સ્થૂળ લક્ષ્યવાળા હોઇને (સંકલેશપરિણામોને છોડતા હોવા છતાં) સમસ્ત કર્મકાંડને મૂળથી ઉખેડતા નથી. આ રીતે તેઓ, પોતે પોતાના અજ્ઞાનથી કેવળ અશુભ *ભવન = થવું તે; પણિમન