अथ परमार्थमोक्षहेतोरन्यत् कर्म प्रतिषेधयति–
परमट्ठमस्सिदाण दु जदीण कम्मक्खओ विहिओ।। १५६ ।।
परमार्थमाश्रितानां तु यतीनां कर्मक्षयो विहितः।। १५६ ।।
હવે, પરમાર્થ મોક્ષકારણથી અન્ય જે કર્મ તેનો નિષેધ કરે છેઃ-
પણ કર્મક્ષયનું વિધાન તો પરમાર્થ–આશ્રિત સંતને. ૧પ૬.
ગાથાર્થઃ– [निश्चयार्थ] નિશ્ચયનયના વિષયને [मुक्त्वा] છોડીને [विद्वांसः] વિદ્વાનો [व्यवहारेण] વ્યવહાર વડે [प्रवर्तन्ते] પ્રવર્તે છે; [तु] પરંતુ [परमार्थम् आश्रितानां] પરમાર્થને (-આત્મસ્વરૂપને) આશ્રિત [यतीनां] યતીશ્વરોને જ [कर्मक्षयः] કર્મનો નાશ [विहितः] આગમમાં કહ્યો છે. (કેવળ વ્યવહારમાં પ્રવર્તનારા પંડિતોને કર્મક્ષય થતો નથી.)
ટીકાઃ– પરમાર્થ મોક્ષહેતુથી જુદો, જે વ્રત, તપ વગેરે શુભકર્મસ્વરૂપ મોક્ષહેતુ કેટલાક લોકો માને છે, તે આખોય નિષેધવામાં આવ્યો છે; કારણ કે તે (મોક્ષહેતુ) અન્ય દ્રવ્યના સ્વભાવવાળો (અર્થાત્ પુદ્ગલસ્વભાવી) હોવાથી તેના સ્વ-ભાવ વડે જ્ઞાનનું ભવન થતું નથી, -માત્ર પરમાર્થ મોક્ષહેતુ જ એક દ્રવ્યના સ્વભાવવાળો (અર્થાત્ જીવસ્વભાવી) હોવાથી તેના સ્વભાવ વડે જ્ઞાનનું ભવન થાય છે.
ભાવાર્થઃ– મોક્ષ આત્માનો થાય છે તો તેનું કારણ પણ આત્મસ્વભાવી જ હોવું જોઈએ. જે અન્ય દ્રવ્યના સ્વભાવવાળું હોય તેનાથી આત્માનો મોક્ષ કેમ થાય? શુભ કર્મ પુદ્ગલસ્વભાવી છે તેથી તેના ભવનથી પરમાર્થ આત્માનું ભવન ન થઇ શકે; માટે તે આત્માના મોક્ષનું કારણ થતું નથી. જ્ઞાન આત્મસ્વભાવી છે તેથી તેના ભવનથી આત્માનું ભવન થાય છે; માટે તે આત્માના મોક્ષનું કારણ થાય છે. આ રીતે જ્ઞાન જ વાસ્તવિક મોક્ષહેતુ છે.