Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1692 of 4199

 

સમયસાર ગાથા-૧૬૪-૧૬પ ] [ ૨૩૧

અહા! ભગવાન! તું અતીન્દ્રિય આનંદનો દરિયો છો. પ્રભુ! તને એની ખબર નથી, તને એનો વિશ્વાસ આવતો નથી. અરે! પોતાને પોતાનો ભરોસો નહિ અને પરના ભરોસે (આંધળે-બહેરો) ચાલ્યો જાય છે!

પ્રશ્નઃ– આત્મા આવો હોઈ શકે-એટલો બધો વિશ્વાસ કેમ આવે?

ઉત્તરઃ– અરે ભાઈ! તેં જેની સાથે લગ્ન કર્યાં છે તે કન્યાને પહેલાં ઓળખતો હતો? (ના). બીલકુલ અજાણી હોવા છતાં તને કદી શંકા પડી કે આ મારું અહિત કરશે તો? મને મારી નાખશે તો? ભગવાન! તને વિષયમાં રસ-રુચિ છે તેથી ત્યાં શંકા પડતી નથી અને વિશ્વાસ પાકો થઈ ગયો છે. તેના સંગે રહે છે અને તેના સંગે રમે છે. બીજા કોઈ બીજી વાત કરે તોપણ શંકા જ પડતી નથી. વિષયમાં રસ-રુચિ છે ને? તેમ જેને અંતરમાં રસ-રુચિ થઈ તેને ભગવાન આત્માનો એવો વિશ્વાસ આવે છે કે ત્રણકાળમાં ફરે નહિ. અજાણી કન્યાને જોઈને જેમ પહેલી ઘડીએ વિશ્વાસ આવી ગયો, શંકા પડી નહિ તેમ પહેલી ઘડીએ જ જ્યાં ચિદ્જ્ઞાનને ચિદાનંદ ભગવાનનો ભેટો થાય ત્યાં તે જ ક્ષણે અતીન્દ્રિય આનંદની લહર સાથે તેનો વિશ્વાસ પાકો થઈ જાય છે, શંકા રહેતી નથી. પૂર્ણાનંદના નાથને જ્યાં અંદર જઈ જોયો અને એનો ભેટો કર્યો ત્યાં તે જ ક્ષણે તેનો પાકો વિશ્વાસ આવી જાય છે, અને અતીન્દ્રિય આનંદનો રસાસ્વાદ આવે છે. ભાઈ! આવો અતીન્દ્રિય આનંદ તે આનંદ છે, બાકી બધી વાતો છે. આવો આનંદ માત્ર જ્ઞાનીને જ હોય છે. સમજાણું કાંઈ...?

અહીં સિદ્ધ કરવું છે કે-મિથ્યાત્વ સંબંધી રાગ-દ્વેષ-મોહ જ્ઞાનીને હોતા નથી. મિથ્યાત્વ અને અનંતાનુબંધીના રાગ-દ્વેષ-મોહ તો અજ્ઞાનીને જ હોય છે; માટે અજ્ઞાનીને જ આસ્રવ છે એમ કહે છે-

‘અને તે તો (રાગ દ્વેષ મોહ તો) અજ્ઞાનીને જ હોય છે એમ અર્થમાંથી જ નીકળે છે,’ ‘જ’ શબ્દ લીધો છે. ભગવાન કુંદકુંદના કેડાયત ટીકાકાર અમૃતચંદ્રાચાર્ય એમ કહે છે કે ગાથાના જ અર્થમાંથી આ વાત સિદ્ધ થાય છે. રાગ-દ્વેષ-મોહ જે અજ્ઞાનમય આત્મપરિણામ છે તે અજ્ઞાનીને જ હોય છે, જ્ઞાનીને નહિ. ગાથામાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું નથી છતાં ગાથાના જ અર્થમાંથી આ આશય સિદ્ધ થાય છે. અજ્ઞાનીને જ રાગ-દ્વેષ-મોહ હોય છે, કેમકે મિથ્યાત્વભાવ જ્યાં છે ત્યાં જ રાગ-દ્વેષના પરિણામની રુચિ હોય છે. તેનો પ્રેમ હોય છે.

જ્ઞાનીને કિંચિત્ રાગાદિ હોવા છતાં એને એની રુચિ હોતી નથી તેથી જ્ઞાનીને રાગ-દ્વેષ નથી એમ દ્રષ્ટિ અપેક્ષાએ કહીએ છીએ. અહીં તો જેની દ્રષ્ટિ વિપરીત છે તેને જ રાગ-દ્વેષ-મોહ છે એમ સિદ્ધ કરવું છે. સમ્યગ્દ્રષ્ટિને હજુ જેટલો ચારિત્રમોહ છે તે અહીં ગણવામાં આવ્યો નથી. અહીં દ્રષ્ટિની મુખ્યતામાં ના પાડે છે પણ પછી