अथ रागाद्यसङ्कीर्णभावसम्भवं दर्शयति–
जीवस्स कम्मभावे पडिए ण पुणोदयमुवेदि।। १६८।।
जीवस्य कर्मभावे पतिते न पुनरुदयमुपैति।। १६८।।
હવે રાગાદિ સાથે નહિ મળેલા ભાવની ઉત્પત્તિ બતાવે છેઃ-
ત્યમ કર્મભાવ ખર્યે, ફરી જીવમાં ઉદય પામે નહીં. ૧૬૮.
ગાથાર્થઃ–
[फलं] ફળ [वृन्तैः] ડીંટા સાથે [न बध्यते] જોડાતું નથી, તેમ [जीवस्य] જીવને [कर्मभावे] કર્મભાવ [पतिते] ખરી જતાં (અર્થાત્ છૂટો થતાં) [पुनः] ફરીને [उदयम् न उपैति] ઉત્પન્ન થતો નથી (અર્થાત્ જીવ સાથે જોડાતો નથી).
ટીકાઃ– જેમ પાકું ફળ ડીંટાથી એકવાર છૂટું પડયું થકું ફરીને ડીંટા સાથે સંબંધ પામતું નથી, તેમ કર્મના ઉદયથી ઉત્પન્ન થતો ભાવ જીવભાવથી એકવાર છૂટો પડયો થકો ફરીને જીવભાવને પામતો નથી. આ રીતે જ્ઞાનમય એવો, રાગાદિક સાથે નહિ મળેલો ભાવ ઉત્પન્ન થાય છે.
ભાવાર્થઃ– જો જ્ઞાન એકવાર (અપ્રતિપાતી ભાવે) રાગાદિકથી જુદું પરિણમે તો ફરીને તે કદી રાગાદિક સાથે ભેળસેળ થઈ જતું નથી. આ રીતે ઉત્પન્ન થયેલો, રાગાદિક સાથે નહિ મળેલો જ્ઞાનમય ભાવ સદાકાળ રહે છે. પછી જીવ અસ્થિરતારૂપે રાગાદિકમાં જોડાય તે નિશ્ચયદ્રષ્ટિમાં જોડાણ છે જ નહિ અને તેને જે અલ્પ બંધ થાય તે પણ નિશ્ચયદ્રષ્ટિમાં બંધ છે જ નહિ, કારણ કે અબદ્ધસ્પૃષ્ટરૂપે પરિણમન નિરંતર વર્ત્યા જ કરે છે. વળી તેને મિથ્યાત્વની સાથે રહેનારી પ્રકૃતિઓનો બંધ થતો નથી અને અન્ય પ્રકૃતિઓ સામાન્ય સંસારનું કારણ નથી; મૂળથી કપાયેલા વૃક્ષનાં લીલાં પાંદડાં જેવી તે પ્રકૃતિઓ શીઘ્ર સુકાવાયોગ્ય છે.
હવે, ‘જે જ્ઞાનમય ભાવ છે તે જ ભાવાસ્રવનો અભાવ છે’ એવા અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-