સમયસાર ગાથા-૧૬૮ ] [ ૨પ૧
जीवस्य स्याद् ज्ञाननिर्वृत्त एव।
रुन्धन् सर्वान् द्रव्यकर्मास्रवौधान्
एषोऽभावः सर्वभावास्रवाणाम्।। ११४।।
[ज्ञाननिर्वृत्तः एव भावः] જ્ઞાનથી જ રચાયેલો ભાવ [स्यात्] છે અને [सर्वान् द्रव्यकर्मास्रव– ओधान् रुन्धन्] જે સર્વ દ્રવ્યકર્મના આસ્રવના થોકને (અર્થાત્ જથ્થાબંધ દ્રવ્યકર્મના પ્રવાહને) રોકનારો છે, [एषः सर्व–भावास्रवाणाम् अभावः] તે (જ્ઞાનમય) ભાવ સર્વ ભાવાસ્રવના અભાવસ્વરૂપ છે.
છે અને દ્રવ્યકર્મના પ્રવાહને રોધનારો છે; તેથી તે ભાવ જ ભાવ-આસ્રવના અભાવસ્વરૂપ છે.
સંસારનું કારણ મિથ્યાત્વ જ છે; તેથી મિથ્યાત્વ સંબંધી રાગાદિકનો અભાવ થતાં, સર્વ ભાવાસ્રવનો અભાવ થયો એમ અહીં કહ્યું. ૧૧૪.
હવે રાગાદિ સાથે નહિ મળેલા ભાવની ઉત્પત્તિ બતાવે છેઃ-
રાગાદિ એટલે મિથ્યાત્વ અને રાગ-દ્વેષ સાથે નહિ મળેલા એવા જ્ઞાનમય ભાવની ઉત્પત્તિ બતાવે છે; અર્થાત્ ભગવાન ચૈતન્યનો દરબાર જે અનંત અનંત જ્ઞાન અને આનંદથી ભરેલો છે તેને પ્રગટ કરનારો, રાગાદિ સાથે નહિ મળેલો એવો જે સ્વભાવભાવ-જ્ઞાનમય ભાવ તેની ઉત્પત્તિ પ્રસિદ્ધ કરે છે-
‘જેમ પાકું ફળ ડીંટાથી એકવાર છૂટું પડયું થકું ફરીને ડીંટા સાથે સંબંધ પામતું નથી, તેમ...’ જુઓ, ધ્યાન રાખીને સાંભળવા જેવી બહુ મઝાની વાત કરી છે. કહે છે-પાકું ફળ એકવાર ડીંટાથી છૂટું પડી જાય પછી તે ફરીને ડીંટા સાથે સંબંધ પામતું નથી. આ દ્રષ્ટાંત કહ્યું. હવે કહે છે- ‘તેમ કર્મના ઉદયથી ઉત્પન્ન થતો ભાવ જીવભાવથી એકવાર છૂટો પડયો થકો ફરીને જીવભાવને પામતો નથી.