સમયસાર ગાથા-૧૬૯ ] [ ૨૬૧ પ્રત્યયો પણ અજીવ અને જ્ઞેય છે. જેમ માટીનાં ઢેફાં પુદ્ગલસ્કંધો છે તેમ એ પ્રત્યયો પણ તેવા જ સ્કંધો છે.
વળી કહે છે-‘તે તો બધાય, સ્વભાવથી જ માત્ર કાર્મણ શરીર સાથે બંધાયેલા છે- સંબંધવાળા છે, જીવ સાથે નહિ.’
મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગના પરમાણુઓ જેઓ જડ અચેતન છે તે માત્ર કાર્મણ શરીર સાથે બંધાયેલા છે, જીવ સાથે નહિ. મિથ્યાત્વાદિ જડ પ્રત્યયોને આત્મા સાથે સંબંધ નથી. વળી પર્યાયમાં દ્રવ્યકર્મ સાથે જે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે તેને જ્ઞાનીએ તોડી નાખ્યો છે. એટલે દ્રવ્યકર્મને પુદ્ગલ કાર્મણ શરીર સાથે જ સંબંધ છે. સદાય ચૈતન્યઘનસ્વરૂપ ભગવાન આત્માને તો દ્રવ્યકર્મ સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે જ નહિ; અને આવા આત્માની જેને દ્રષ્ટિ થઈ છે એવા જ્ઞાનીએ પર્યાયમાં જે નિમિત્તપણાનો સંબંધ છે તે તોડી નાખ્યો છે. તેથી સમકિતીને મિથ્યાત્વ પ્રકૃતિ કદાચ સત્તામાં હોય તોપણ તે પ્રકૃતિના પરમાણુને કાર્મણ શરીર સાથે સંબંધ છે, જીવ સાથે નહિ. જ્ઞાનીને દ્રવ્યાસ્રવો સાથે સંબંધ છે જ નહિ. હવે કહે છે-
‘માટે જ્ઞાનીને દ્રવ્યાસ્રવનો અભાવ સ્વભાવથી જ સિદ્ધ છે.’
જેમ શરીર, વાણી, સ્ત્રી-કુટુંબ-પરિવાર આદિ પર પદાર્થ પર જ છે, એની સાથે આત્માને કાંઈ સંબંધ નથી તેમ જ્ઞાનીને દ્રવ્યાસ્રવોથી કાંઈ સંબંધ નથી. પર ચીજ પોતપોતાના કારણે દ્રવ્ય-ગુણપણે કાયમ રહીને પર્યાયમાં બદલીને રહી છે. શરીર પોતાના દ્રવ્ય-ગુણમાં પોતાની પર્યાય કરીને રહ્યું છે; બીજા આત્માઓ, બીજા શરીરો કે પુદ્ગલો પોતપોતાના દ્રવ્ય- ગુણમાં પોતપોતાની પર્યાય કરીને રહેલાં છે. કાર્મણ શરીર છે તે પણ પોતાના દ્રવ્ય-ગુણ- પર્યાયમાં રહેલું છે. કર્મ-પરમાણુઓ કાંઈ આત્માની પર્યાયમાં આવ્યા નથી. ભાઈ! આત્માને અને પર દ્રવ્યોને કાંઈ સંબંધ છે જ નહિ. માટે જ્ઞાયકમૂર્તિ ભગવાન આત્માનો જેને આશ્રય થયો છે તે જ્ઞાનીને દ્રવ્યાસ્રવનો અભાવ સ્વભાવથી જ સિદ્ધ છે કેમકે પરમાણુઓનો સંબંધ જડ સાથે જ છે.
સવારે ભેદાભેદરત્નત્રય મોક્ષનું કારણ છે એમ આવ્યું હતું ને? એનો ખુલાસો-
જુઓ, ભેદરત્નત્રય છે તે રાગ છે. શુદ્ધ ચિદાનંદઘન ભગવાન આત્માના આશ્રયે જેને સમ્યગ્દર્શન-જ્ઞાન અને સ્વરૂપાચરણ પ્રગટ થયાં છે એવા નિશ્ચયદ્રષ્ટિવંતને ભેદરત્નત્રયરૂપ શુભરાગ આવે છે. તેને નિશ્ચય અભેદરત્નત્રયનો સહકારી જાણીને વ્યવહાર મોક્ષનું કારણ કહ્યું છે. ભેદરત્નત્રય રાગ હોવાથી છે તો બંધનું જ કારણ, પરંતુ વાસ્તવિક મોક્ષનું કારણ જે અભેદ રત્નત્રય તેના સહચરપણે એવો જ રાગ હોય છે તેથી આરોપ આપીને તેને વ્યવહાર મોક્ષનું કારણ કહેવામાં આવ્યું છે. અભેદરત્નત્રય