સમયસાર ગાથા-૧૬૯ ] [ ૨૬પ
રાગાદિ પણ અન્ય કર્મ છે, આત્મા નહિ. ભગવાન ત્રિલોકીનાથની વાણીનો આ મર્મ છે. ભાઈ! જૈનશાસન કોઈ વાડો નથી, વસ્તુનું સ્વરૂપ છે. ભગવાન! તું મુક્તસ્વરૂપ છો, અને જે શુદ્ધોપયોગમાં આત્મા મુક્તસ્વરૂપ જણાયો તે શુદ્ધોપયોગ જૈનશાસન છે.
હવે આવી અંતર્દ્રષ્ટિની વાતમાં સૂઝ પડે નહિ એટલે વ્રત કરવાં, દયા પાળવી, ભક્તિ કરવી, દાન કરવું ઇત્યાદિ બાહ્ય ક્રિયાઓમાં જીવ લાગી જાય છે, કેમકે એમાં ઝટ સમજ પડે છે. મહાવરો છે ને એનો? વળી બીજાને પણ ખબર પડે કે કાંઈક કર્યું. પણ ભાઈ! એ તો બધી બહારની ક્રિયાઓ છે. એમાં કયાં આત્મા છે? જન્મ-મરણનો અંત કરવો હોય તો એનાથી નહિ થાય. ભગવાન! પોતાને સમજ્યા વિના અને અંતર્દ્રષ્ટિ કર્યા વિના જીવ અનાદિથી દુઃખી છે. આ મોટા રાજાઓ અને કરોડપતિ શેઠિયાઓ બધા આત્મદ્રષ્ટિ વિના દુઃખી જ છે. શાંતરસનો સમુદ્ર એવા ભગવાન આત્માને ભૂલીને તેઓ કષાયની અગ્નિમાં બળી જ રહ્યા છે. છહઢાલામાં આવે છે ને કે-
ભાઈ! અનંતકાળ વિષય-કષાય સેવ્યા, હવે તો તેને છોડી અંતર્દ્રષ્ટિ કર. પોતાની અંદર વિકારના પરિણામ થાય છે એને છોડવાનું જ્ઞાનીઓ કહે છે, પરને સેવવાની અને છોડવાની કોઈ વાત નથી, કેમકે પરને કોણ સેવે અને છોડે છે? અહીં તો એમ કહે છે કે-વિષય- કષાયરહિત અંદર આનંદનો નાથ ભગવાન છે એની સેવામાં એકવાર આવ. તેથી તને આનંદ થશે, સુખ થશે અને અંદર ભણકાર વાગશે કે હવે હું અલ્પકાળમાં મુક્તિ પામીશ.
અહા! સમ્યગ્જ્ઞાન જે થયું તે ભાવાસ્રવથી રહિત થયું છે. ભલે મતિ-શ્રુતજ્ઞાન હો તોપણ એણે સ્વજ્ઞેયને પકડયું છે ને? સમ્યક્ મતિ-શ્રુતજ્ઞાન કેવળજ્ઞાનને બોલાવે છે એટલે કે તે કેવળજ્ઞાનને પ્રાપ્ત કરવાનું કારણ છે.
પ્રશ્નઃ– બહારમાં મંદિર આદિ બંધાવે, મોટા ગજરથ કાઢે તો ધર્મની પ્રભાવના થાય ને?
ઉત્તરઃ– શુદ્ધ સ્વભાવમાં એકાગ્રતા પૂર્વક વિજ્ઞાનઘનસ્વભાવની પર્યાયમાં વૃદ્ધિ થવી તે નિશ્ચય પ્રભાવના છે. આવી નિશ્ચય-પ્રભાવના જેને પ્રગટ થઈ છે તેવા જીવના