Pravachan Ratnakar (Gujarati). Gatha: 179-180.

< Previous Page   Next Page >


PDF/HTML Page 1797 of 4199

 

ગાથા ૧૭૯–૧૮૦

जह पुरिसेणाहारो गहिदो परिणमदि सो अणेयविहं।
मंसवसारुहिरादी भावे उदरग्गिसंजुत्तो।। १७९।।

तह णाणिस्स दु पुव्वं जे बद्धा पच्चया बहुवियप्पं।
बज्झंते कम्मं ते णयपरिहीणा दु ते जीवा।। १८०।।

यथा पुरुषेणाहारो गृहीतः परिणमति सोऽनेकविधम्।
मांसवसारुधिरादीन् भावान् उदराग्निसंयुक्तः।। १७९।।

तथा ज्ञानिनस्तु पूर्व ये बद्धाः प्रत्यया बहुविकल्पम्।
बध्नन्ति कर्म ते नयपरिहीनास्तु ते जीवाः।। १८०।।

હવે આ જ અર્થને દ્રષ્ટાંત દ્વારા દ્રઢ કરે છેઃ-

પુરુષે ગ્રહેલ અહાર જે, ઉદરાગ્નિને સંયોગ તે
બહુવિધ માંસ, વસા અને રુધિરાદિ ભાવે પરિણમે; ૧૭૯.
ત્યમ જ્ઞાનીને પણ પ્રત્યયો જે પૂર્વકાળનિબદ્ધ તે
બહુવિધ બાંધે કર્મ, જો જીવ શુદ્ધનયપરિચ્યુત બને. ૧૮૦.

ગાથાર્થઃ– [यथा] જેમ [पुरुषेण] પુરુષ વડે [गृहीतः] ગ્રહાયેલો [आहारः] જે

આહાર [सः] તે [उदराग्निसंयुक्तः] ઉદરાગ્નિથી સંયુક્ત થયો થકો [अनेकविधम्] અનેક પ્રકારે [मांसवसारुधिरादीन्] માંસ, વસા, રુધિર આદિ [भावान्] ભાવોરૂપે [परिणमति] પરિણમે છે, [तथा तु] તેમ [ज्ञानिनः] જ્ઞાનીને [पूर्व बद्धाः] પૂર્વે બંધાયેલા [ये प्रत्ययाः] જે દ્રવ્યાસ્રવો છે [ते] તે [बहुविकल्पम्] બહુ પ્રકારનાં [कर्म] કર્મ [बध्नन्ति] બાંધે છે;- [ते जीवाः] એવા જીવો [नयपरिहीनाः तु] શુદ્ધનયથી ચ્યુત થયેલા છે. (જ્ઞાની શુદ્ધનયથી ચ્યુત થાય તો તેને કર્મ બંધાય છે.)

ટીકાઃ– જ્યારે જ્ઞાની શુદ્ધનયથી ચ્યુત થાય ત્યારે તેને રાગાદિભાવોનો સદ્ભાવ થવાથી,

પૂર્વબદ્ધ દ્રવ્યપ્રત્યયો, પોતાને (-દ્રવ્યપ્રત્યયોને) કર્મબંધના હેતુપણાના હેતુનો સદ્ભાવ થતાં હેતુમાન ભાવનું (-કાર્યભાવનું) અનિવાર્યપણું હોવાથી, જ્ઞાનાવરણાદિ ભાવે પુદ્ગલકર્મને બંધરૂપે પરિણમાવે છે. અને આ અપ્રસિદ્ધ પણ નથી (અર્થાત્