૪૦૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬
ध्रुवमुपलभमानः शुद्धमात्मानमास्ते।
तदयमुदयदात्माराममात्मानमात्मा
परपरिणतिरोधाच्छुद्धमेवाभ्युपैति।। १२७।।
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
શ્લોકાર્થઃ– [यदि] જો [कथम् अपि] કોઈ પણ રીતે (તીવ્ર પુરુષાર્થ કરીને) [धारावाहिना बोधनेन] ધારાવાહી જ્ઞાનથી [शुद्धम् आत्मानम्] શુદ્ધ આત્માને [ध्रुवम् उपलभमानः आस्ते] નિશ્ચળપણે અનુભવ્યા કરે [तत्] તો [अयम् आत्मा] આ આત્મા, [उदयत्–आत्म–आरामम् आत्मानम्] જેનો આત્માનંદ પ્રગટ થતો જાય છે (અર્થાત્ જેની આત્મસ્થિરતા વધતી જાય છે) એવા આત્માને [पर–परिणति–रोधात्] પરપરિણતિના નિરોધથી [शुद्धम् एव अभ्युपैति] શુદ્ધ જ પ્રાપ્ત કરે છે.
ભાવાર્થઃ– ધારાવાહી જ્ઞાન વડે શુદ્ધ આત્માને અનુભવવાથી રાગદ્વેષમોહરૂપ પરપરિણતિનો (ભાવાસ્રવોનો) નિરોધ થાય છે અને તેથી શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે.
ધારાવાહી જ્ઞાન એટલે પ્રવાહરૂપ જ્ઞાન-અતૂટક જ્ઞાન. તે બે રીતે કહેવાય છેઃ-એક તો, જેમાં વચ્ચે મિથ્યાજ્ઞાન ન આવે એવું સમ્યગ્જ્ઞાન ધારાવાહી જ્ઞાન છે. બીજું, એક જ જ્ઞેયમાં ઉપયોગના ઉપયુક્ત રહેવાની અપેક્ષાએ જ્ઞાનનું ધારાવાહીપણું કહેવામાં આવે છે, અર્થાત્ જ્યાં સુધી ઉપયોગ એક જ્ઞેયમાં જ્ઞેયયુક્ત રહે છે ત્યાં સુધી ધારાવાહી જ્ઞાન કહેવાય છે; આની સ્થિતિ (છદ્મસ્થને) અંતર્મુહૂર્ત જ છે, પછી તે ખંડીત થાય છે. આ બે અર્થમાંથી જ્યાં જેવી વિવક્ષા હોય તેવો અર્થ સમજવો. અવિરતસમ્યગ્દ્રષ્ટિ વગેરે નીચેનાં ગુણસ્થાનવાળા જીવોને મુખ્યત્વે પહેલી અપેક્ષા લાગુ પડે. શ્રેણી ચડનાર જીવને મુખ્યત્વે બીજી અપેક્ષા લાગુ પડે કારણ કે તેનો ઉપયોગ શુદ્ધ આત્મામાં જ ઉપયુક્ત છે. ૧૨૭.
હવે પૂછે છે કે શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી જ સંવર કઈ રીતે થાય છે? તેનો ઉત્તર કહે છેઃ-
શુદ્ધ આત્માને એટલે પોતાની ત્રિકાળી શુદ્ધ અખંડ એકરૂપ જે વસ્તુ તેને જાણતો- विजानन्–મૂળમાં वियाणंतो–એમ છે ને?-એટલે કે જે પર્યાયમાં રાગથી ભિન્ન