Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 188 of 4199

 

ભાગ-૧ ] ૧૮૧

ત્રિકાળધ્રુવ કેવળજ્ઞાનરૂપ છે. એ ગુણ મતિ, શ્રુત, અવધિ આદિ સર્વ પર્યાયોમાં વ્યાપ્ત હોય છે. પૂરા દ્રવ્યમાં અને તેની બધી પર્યાયોમાં વ્યાપ્ત હોય એવું જ ગુણનું સ્વરૂપ છે. જેમ સાકરનો મીઠાશ ગુણ સાકરના પૂરા ભાગમાં વ્યાપ્ત છે તેમ જ્ઞાનગુણ આત્માના પૂરા દ્રવ્યમાં અને તેની સર્વ પર્યાયોમાં વ્યાપ્ત છે, અને તે લોકાલોકને જાણવાના સ્વભાવરૂપ છે. આ તો જ્ઞાનગુણ કેવડો છે તેના અનંત મહિમાની વાત છે. અહીં કહે છે- શુદ્ધનય, સર્વ દ્રવ્યોથી જુદા, આત્માની સર્વ પર્યાયોમાં વ્યાપ્ત, લોકાલોકને જાણવાનો જેનો સ્વભાવ છે એવા પૂર્ણ ચૈતન્ય કેવળજ્ઞાનરૂપ અસાધારણ (અન્ય દ્રવ્યોમાં ન હોય તેવા) ચૈતન્યધર્મને પરોક્ષ દેખાડે છે. એટલે શુદ્ધનયની દ્રષ્ટિ વડે જે ત્રિકાળ ધ્રુવ ચૈતન્યપૂર્ણ ને દેખે છે, શ્રદ્ધે છે તેને સાચું સમ્યગ્દર્શન છે.

વ્યવહારી છદ્મસ્થ જીવ આગમને પ્રમાણ કરી, વાણી સત્ છે એને લક્ષમાં લઈ, વાણીનું જે વાચ્ય ત્રિકાળ ધ્રુવ જ્ઞાયકભાવ તેનું શ્રદ્ધાન કરે એ નિશ્ચય સમ્યગ્દર્શન છે. એ સુખની પ્રથમ કણિકા છે. બાકી બધા દુઃખના પંથે ચઢેલા છે. શાસ્ત્રોને જાણનારા જ્યાંસુધી જ્ઞાયકની દ્રષ્ટિ ન કરે ત્યાંસુધી દુઃખના પંથમાં છે માર્ગ તો આ છે, ભાઈ!

જ્યાંસુધી કેવળ વ્યવહારનયના વિષયભૂત જીવાદિ ભેદરૂપ તત્ત્વોનું જ શ્રદ્ધાન રહે, ત્યાંસુધી નિશ્ચય સમ્યગ્દર્શન નથી. તેથી આચાર્ય કહે છે કે એ નવતત્ત્વોની પરિપાટીને છોડી, નયના ભેદો તથા પર્યાયના ભેદોનું લક્ષ છોડી, શુદ્ધનયના વિષયભૂત એક અખંડ જ્ઞાયક આત્મા જ અમને પ્રાપ્ત થાઓ; બીજું કાંઈ ચાહતા નથી. આ વીતરાગ અવસ્થાની પ્રાર્થના છે. પર્યાયો નથી એમ નથી, પણ તે ગૌણ કરી તેમનું લક્ષ છોડવાની વાત છે. જો પર્યાય નથી એમ માનવા જશે તો મિથ્યાત્વ થશે. આ કોઈ નયપક્ષ નથી. જો સર્વથા નયોનો પક્ષપાત જ થયા કરે તો મિથ્યાત્વ જ છે.

અહીં કોઈ પ્રશ્ન કરે કે- આત્મા ચૈતન્ય છે, જાણન, જાણનસ્વભાવી છે. આટલું ચૈતન્યરૂપ જ જ્ઞાનમાં અનુભવમાં આવે તો એટલી શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે કે નહીં? આવી શ્રદ્ધાવાળાને આખો આત્મા હાથ લાગ્યો એમ કહેવાય કે નહી?

સમાધાનઃ– આત્માને ચૈતન્યમાત્ર તો નાસ્તિક સિવાય સર્વ મતવાળાઓ માને છે. એમ ચાર્વાક મત ચૈતન્યને માનતો નથી. બીજા બધા આત્મા ચૈતન્યરૂપ છે એમ તો માને છે. જો આટલી શ્રદ્ધાને સમ્યગ્દર્શન કહેવામાં આવે તો ઉપર કહેલા બધાને સમ્યગ્દર્શન સિદ્ધ થઈ જશે. જાણનાર, જાણનાર એમ નાસ્તિક સિવાય તો ઘણા આત્માને માને છે, તો તે બધાને સમ્યક્ત્વ સિદ્ધ થશે. પણ એમ નથી. આત્મા તો સર્વજ્ઞ સ્વભાવી છે. સર્વજ્ઞ સ્વભાવ એટલે પોતાના અનંતગુણો, તેની અનંત પર્યાયો, અને બધા પરને (લોકાલોકને)