Pravachan Ratnakar (Gujarati). Kalash: 134.

< Previous Page   Next Page >


PDF/HTML Page 1933 of 4199

 

૨૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭

(अनुष्टुभ्)
तज्ज्ञानस्यैव सामर्थ्य विरागस्यैव वा किल।
यत्कोऽपि कर्मभिः कर्म भुञ्जानोऽपि न बध्यते।।
१३४।।

બંધ કર્યા વિના જ તે ભાવ નિર્જરી જાય છે તેથી તેને નિર્જર્યો કહી શકાય છે; માટે સમ્યગ્દ્રષ્ટિને પરદ્રવ્ય ભોગવતાં નિર્જરા જ થાય છે. આ રીતે સમ્યગ્દ્રષ્ટિને ભાવનિર્જરા થાય છે.

હવે આગળની ગાથાઓની સૂચનારૂપ શ્લોક કહે છેઃ-
શ્લોકાર્થઃ–
[किल] ખરેખર [तत् सामर्थ्य] તે (આશ્ચર્યકારક) સામર્થ્ય

[ज्ञानस्य एव] જ્ઞાનનું જ છે [वा] અથવા [विरागस्य एव] વિરાગનું જ છે [यत्] કે [कः अपि] કોઈ (સમ્યગ્દ્રષ્ટિ જીવ) [कर्म भुञ्जानः अपि] કર્મને ભોગવતો છતો [कर्मभिः न बध्यते] કર્મોથી બંધાતો નથી! (અજ્ઞાનીને તે આશ્ચર્ય ઉપજાવે છે અને જ્ઞાની તેને યથાર્થ જાણે છે.) ૧૩૪.

*
સમયસાર ગાથા ૧૯૪ઃ મથાળું

હવે ભાવનિર્જરાનું સ્વરૂપ કહે છેઃ- જુઓ, નિર્જરા ત્રણ પ્રકારે છે. કર્મનું ખરી જવું તે (જડની નિર્જરા) દ્રવ્યનિર્જરા છે. અશુદ્ધતાનું ટળવું તે (પોતાની) ભાવનિર્જરા (નાસ્તિથી) છે અને શુદ્ધતાની વૃદ્ધિ થવી તે ભાવનિર્જરા (અસ્તિથી) છે. તેમાં દ્રવ્યનિર્જરાની વાત ગાથા ૧૯૩માં આવી ગઈ. અહીં જે અશુદ્ધતાનું ટળવું તે ભાવનિર્જરાની વાત આ ગાથામાં હવે કહે છે.

* ગાથા ૧૯૪ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘પરદ્રવ્ય ભોગવવામાં આવતાં, તેના નિમિત્તે સુખરૂપ અથવા દુઃખરૂપ જીવનો ભાવ નિયમથી જ ઉદય થાય છે અર્થાત્ ઉત્પન્ન થાય છે, કારણ કે વેદન શાતા અને અશાતા -એ બે પ્રકારોને અતિક્રમતું નથી. (અર્થાત્ વેદન બે પ્રકારનું જ છે-શાતારૂપ અને અશાતારૂપ).’

અહાહા...! ગાથામાં બહુ જ ભર્યું છે. કહે છે-‘પરદ્રવ્ય ભોગવવામાં આવતાં...’ જુઓ, પરદ્રવ્ય કાંઈ ભોગવી શકાય છે એમ નથી, પણ આ તો નિમિત્તનું કથન છે. આ શરીર, દાળ, ભાત, શાક કે સ્ત્રીનું શરીર જે જડ રૂપી છે તેને આત્મા ભોગવી