૨૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭
यत्कोऽपि कर्मभिः कर्म भुञ्जानोऽपि न बध्यते।।
બંધ કર્યા વિના જ તે ભાવ નિર્જરી જાય છે તેથી તેને નિર્જર્યો કહી શકાય છે; માટે સમ્યગ્દ્રષ્ટિને પરદ્રવ્ય ભોગવતાં નિર્જરા જ થાય છે. આ રીતે સમ્યગ્દ્રષ્ટિને ભાવનિર્જરા થાય છે.
શ્લોકાર્થઃ–
[ज्ञानस्य एव] જ્ઞાનનું જ છે [वा] અથવા [विरागस्य एव] વિરાગનું જ છે [यत्] કે [कः अपि] કોઈ (સમ્યગ્દ્રષ્ટિ જીવ) [कर्म भुञ्जानः अपि] કર્મને ભોગવતો છતો [कर्मभिः न बध्यते] કર્મોથી બંધાતો નથી! (અજ્ઞાનીને તે આશ્ચર્ય ઉપજાવે છે અને જ્ઞાની તેને યથાર્થ જાણે છે.) ૧૩૪.
હવે ભાવનિર્જરાનું સ્વરૂપ કહે છેઃ- જુઓ, નિર્જરા ત્રણ પ્રકારે છે. કર્મનું ખરી જવું તે (જડની નિર્જરા) દ્રવ્યનિર્જરા છે. અશુદ્ધતાનું ટળવું તે (પોતાની) ભાવનિર્જરા (નાસ્તિથી) છે અને શુદ્ધતાની વૃદ્ધિ થવી તે ભાવનિર્જરા (અસ્તિથી) છે. તેમાં દ્રવ્યનિર્જરાની વાત ગાથા ૧૯૩માં આવી ગઈ. અહીં જે અશુદ્ધતાનું ટળવું તે ભાવનિર્જરાની વાત આ ગાથામાં હવે કહે છે.
‘પરદ્રવ્ય ભોગવવામાં આવતાં, તેના નિમિત્તે સુખરૂપ અથવા દુઃખરૂપ જીવનો ભાવ નિયમથી જ ઉદય થાય છે અર્થાત્ ઉત્પન્ન થાય છે, કારણ કે વેદન શાતા અને અશાતા -એ બે પ્રકારોને અતિક્રમતું નથી. (અર્થાત્ વેદન બે પ્રકારનું જ છે-શાતારૂપ અને અશાતારૂપ).’
અહાહા...! ગાથામાં બહુ જ ભર્યું છે. કહે છે-‘પરદ્રવ્ય ભોગવવામાં આવતાં...’ જુઓ, પરદ્રવ્ય કાંઈ ભોગવી શકાય છે એમ નથી, પણ આ તો નિમિત્તનું કથન છે. આ શરીર, દાળ, ભાત, શાક કે સ્ત્રીનું શરીર જે જડ રૂપી છે તેને આત્મા ભોગવી