સમયસાર ગાથા-૧૯૪ ] [ ૩૧
જેમ કમળાના રોગ ઉપર કડવી ઔષધિ આપે છે પણ તે ઔષધિનો રોગીને પ્રેમ નથી તેમ જ્ઞાનીને કમજોરીના કારણે ભોગના પરિણામ આવે છે અને તેનું એને વેદન હોય છે પણ એમાં તેને રસ-રુચિ નથી, તેનો એને સ્વામીપણાનો ભાવ નથી અને તેથી તે કર્મને ભોગવતો છતો પણ નવાં કર્મોથી બંધાતો નથી. એને પ્રગટ થયેલાં જ્ઞાન- વૈરાગ્યનું એવું જ અદ્ભુત સામર્થ્ય છે. અજ્ઞાનીને તે આશ્ચર્ય ઉપજાવે છે, જ્યારે જ્ઞાની તેને યથાર્થ જાણે છે.
[પ્રવચન નં. ૨૬૪ (શેષ), ૨૬પ*દિનાંક ૧૭-૧૨-૭૬ અને ૧૮-૧૨-૭૬]
×