ण दु एस मज्झ भावो जाणगभावो हु अहमेक्को।। १९९।।
न त्वेष मम भावो ज्ञायकभावः खल्वहमेकः।। १९९।।
આ છે નહિ મુજ ભાવ, નિશ્ચય એક જ્ઞાયકભાવ છું. ૧૯૯.
[विपाकोदयः] વિપાકરૂપ ઉદય [एषः भवति] આ છે, [एषः] આ [मम भावः] મારો ભાવ [न तु] નથી; [अहम्] હું તો [खलु] નિશ્ચયથી [एकः] એક [ज्ञायकभावः] જ્ઞાયકભાવ છું.
ટીકાઃ–ખરેખર રાગ નામનું પુદ્ગલકર્મ છે તેના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલો આ રાગરૂપ ભાવ છે, મારો સ્વભાવ નથી; હું તો આ (પ્રત્યક્ષ અનુભવગોચર) ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ છું. (આ રીતે સમ્યગ્દ્રષ્ટિ વિશેષપણે સ્વને અને પરને જાણે છે).
વળી આ જ પ્રમાણે ‘રાગ’ પદ બદલીને તેની જગ્યાએ દ્વેષ, મોહ, ક્રોધ, માન, માયા, લોભ, કર્મ, નોકર્મ, મન, વચન, કાયા, શ્રોત્ર, ચક્ષુ, ધ્રાણ, રસન અને સ્પર્શન-એ શબ્દો મૂકી સોળ સૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં (-કહેવાં) અને આ ઉપદેશથી બીજાં પણ વિચારવાં.
હવે સમ્યગ્દ્રષ્ટિ વિશેષપણે સ્વને અને પરને આ પ્રમાણે જાણે છે-એમ કહે છેઃ-
‘ખરેખર રાગ નામનું પુદ્ગલકર્મ છે તેના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલો આ રાગરૂપ ભાવ છે, મારો સ્વભાવ નથી...’