૭૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭
दित्युत्तानोत्पुलकवदना रागिणोऽप्याचरन्तु।
आलम्बन्तां समितिपरतां ते यतोऽद्यापि पापा
आत्मानात्मावगमविरहात्सन्ति सम्यक्तवरिक्ताः।। १३७।।
પોતે સમ્યગ્દ્રષ્ટિ છું, મને કદી બંધ થતો નથી (કારણ કે શાસ્ત્રમાં સમ્યગ્દ્રષ્ટિને બંધ કહ્યો નથી) ” [इति] એમ માનીને [उत्तान–उत्पुलक–वदनाः] જેમનું મુખ ગર્વથી ઊંચું તથા પુલકિત (રોમાંચિત) થયું છે એવા [रागिणः] રાગી જીવો (-પરદ્રવ્ય પ્રત્યે રાગદ્વેષમોહભાવવાળા જીવો-) [अपि] ભલે [आचरन्तु] મહાવ્રતાદિનું આચરણ કરો તથા [समितिपरतां आलम्बन्तां] *સમિતિની ઉત્કૃષ્ટતાનું આલંબન કરો [अद्य अपि] તોપણ [ते पापाः] તેઓ પાપી (મિથ્યાદ્રષ્ટિ) જ છે, [यतः] કારણ કે [आत्म–अनात्म– अवगम–विरहात्] આત્મા અને અનાત્માના જ્ઞાનથી રહિત હોવાથી [सम्यक्तव–रिक्ताः सन्ति] તેઓ સમ્યક્ત્વથી રહિત છે.
ભાવાર્થઃ–પરદ્રવ્ય પ્રત્યે રાગ હોવા છતાં જે જીવ ‘હું સમ્યગ્દ્રષ્ટિ છું, મને બંધ થતો નથી’ એમ માને છે તેને સમ્યક્ત્વ કેવું? તે વ્રત-સમિતિ પાળે તોપણ સ્વપરનું જ્ઞાન નહિ હોવાથી તે પાપી જ છે. પોતાને બંધ નથી થતો એમ માનીને સ્વચ્છંદે પ્રવર્તે તે વળી સમ્યગ્દ્રષ્ટિ કેવો? કારણ કે જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર ન થાય ત્યાં સુધી ચારિત્રમોહના રાગથી બંધ તો થાય જ છે અને જ્યાં સુધી રાગ રહે ત્યાં સુધી સમ્યગ્દ્રષ્ટિ પોતાની નિંદા-ગર્હા કરતો જ રહે છે. જ્ઞાન થવામાત્રથી બંધથી છુટાતું નથી, જ્ઞાન થયા પછી તેમાં જ લીનતારૂપ-શુદ્ધોપયોગરૂપ-ચારિત્રથી બંધ કપાય છે. માટે રાગ હોવા છતાં, ‘બંધ થતો નથી’ એમ માનીને સ્વચ્છંદે પ્રવર્તનાર જીવ મિથ્યાદ્રષ્ટિ જ છે.
અહીં કોઈ પૂછે કે “વ્રત-સમિતિ તો શુભ કાર્ય છે, તો પછી વ્રત-સમિતિ પાળતાં છતાં તે જીવને પાપી કેમ કહ્યો?” તેનું સમાધાનઃ–સિદ્ધાંતમાં પાપ મિથ્યાત્વને જ કહ્યું છે; જ્યાં સુધી મિથ્યાત્વ રહે ત્યાં સુધી શુભ-અશુભ સર્વ ક્રિયાને અધ્યાત્મમાં પરમાર્થે પાપ જ કહેવાય છે. વળી વ્યવહારનયની પ્રધાનતામાં, વ્યવહારી જીવોને અશુભ છોડાવી શુભમાં લગાડવા શુભ ક્રિયાને કથંચિત્ પુણ્ય પણ કહેવાય છે. આમ કહેવાથી સ્યાદ્વાદમતમાં કાંઈ વિરોધ નથી. _________________________________________________________________ * સમિતિ = વિહાર, વચન, આહાર વગેરેની ક્રિયામાં જતનાથી પ્રવર્તવું તે