Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2006 of 4199

 

સમયસાર ગાથા-૨૦૦ ] [ ૯૩

૨. જ્યાં સુધી મિથ્યાત્વ રહે ત્યાં સુધી શુભ કે અશુભ સર્વ ક્રિયાઓને અધ્યાત્મમાં પરમાર્થે પાપ જ કહે છે. જુઓ, છે અંદર કે નહિ? (છે).

હવે કહે છે-‘વળી વ્યવહારનયની પ્રધાનતામાં, વ્યવહારી જીવોને અશુભ છોડાવી શુભમાં લગાડવા શુભ ક્રિયાને કથંચિત્ પુણ્ય પણ કહેવાય છે. આમ કહેવાથી સ્યાદ્વાદમતમાં કાંઈ વિરોધ નથી.’

જોયું? પરમાર્થે શુભક્રિયાને પાપ કહેવામાં આવે છે તોપણ વ્યવહારનયે તેને અશુભ-પાપના પરિણામ છોડાવીને શુભપરિણામમાં પ્રવર્તાવવા માટે પુણ્ય પણ કહે છે. પરંતુ તેને પુણ્ય કહે છે, ધર્મ નહિ. અહીં વ્યવહારથી પાપ અને પુણ્ય-એ બે વચ્ચેનો ભેદ- તફાવત દર્શાવ્યો છે.

જ્યાં સુધી દયા, દાન, વ્રત આદિના શુભ પરિણામથી ધર્મ થાય છે એવી મિથ્યા માન્યતા છે ત્યાં સુધી તે શુભક્રિયાના પરિણામ નિશ્ચયથી પાપ જ કહ્યા છે; પરંતુ વ્યવહારે, અશુભને છોડીને શુભમાં જોડાય છે તે શુભને પુણ્ય પણ કહે છે. પુણ્ય હોં, ધર્મ નહિ. અરે ભાઈ! આ ટાણાં આવ્યાં છે ને જો આ ટાણે આનો નિર્ણય નહિ કરે તો કે દિ’ કરીશ? (પછી અનંતકાળે પણ અવસર નહિ આવે). માટે હમણાં જ તત્ત્વાભ્યાસ વડે નિર્ણય કર.

શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકમાં સાતમા અધિકારમાં સમ્યક્ત્વ સન્મુખ મિથ્યાદ્રષ્ટિનું કથન કરતાં કહ્યું છે કે -જો આ અવસરમાં તત્ત્વાભ્યાસના સંસ્કાર પડયા હશે તો કદાચિત્ કોઈ પાપની વિચિત્રતાના વશે અહીંથી નરકમાં કે તિર્યંચમાં-ઢોરમાં જાય તોપણ ત્યાં તે સંસ્કાર ઉગશે અને તેને દેવાદિના નિમિત્ત વિના પણ સમકિત થશે. અહાહા...! ‘રાગથી રહિત હું શુદ્ધ ચૈતન્યમય વસ્તુ આત્મા છું’-એવા અંતરમાં સંસ્કાર દ્રઢ પડયા હશે તો તે અન્યત્ર એ સંસ્કારના બળે સમકિતને પ્રાપ્ત થશે. વળી ત્યાં કહ્યું છે કે-

“જુઓ, તત્ત્વવિચારનો મહિમા! તત્ત્વવિચાર રહિત દેવાદિકની પ્રતીતિ કરે, ઘણાં શાસ્ત્રોનો અભ્યાસ કરે તથા વ્રત-તપશ્ચરણાદિ કરે છતાં તેને તો સમ્યક્ત્વ થવાનો અધિકાર નથી અને તત્ત્વ વિચારવાળો એ વિના પણ સમ્યક્ત્વનો અધિકારી થાય છે.”

લોકો તો વ્રત ને તપ કર્યાં એટલે થઈ ગયો ધર્મ એમ માને છે. પણ એમાં તો ધૂળેય ધર્મ નથી સાંભળને! એ તો બધો રાગ છે અને રાગથી ભિન્ન તારું શુદ્ધ ચૈતન્યતત્ત્વ છે. આવો તત્ત્વવિચાર અને નિર્ણય થયા વિના વ્રતાદિ આચરણ કરે તોય જીવ મિથ્યાદ્રષ્ટિ જ રહે છે. અને આવા તત્ત્વવિચાર સહિત જેને અંતરમાં તત્ત્વ-નિર્ણયના દ્રઢ સંસ્કાર પડયા છે તે સમકિતનો અધિકારી થાય છે. કદાચિત્ નરક-