Pravachan Ratnakar (Gujarati). Gatha: 206.

< Previous Page   Next Page >


PDF/HTML Page 2127 of 4199

 

ગાથા–૨૦૬
किञ्च–
एदम्हि रदो णिच्चं संतुट्ठो होहि णिच्चमेदम्हि।
एदेण होहि तित्तो होहदि तुह उत्तमं सोक्खं।। २०६।।
एतस्मिन् रतो नित्यं सन्तुष्टो भव नित्यमेतस्मिन्।
एतेन भव तृप्तो भविष्यति तवोत्तमं सौख्यम्।। २०६।।
હવેની ગાથામાં આ જ ઉપદેશ વિશેષ કરે છેઃ-
આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને
આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો! ઉત્તમ થશે. ૨૦૬.
ગાથાર્થઃ– (હે ભવ્ય પ્રાણી!) તું [एतस्मिन्] આમાં (-જ્ઞાનમાં) [नित्यं] નિત્ય

[रतः] રત અર્થાત્ પ્રીતિવાળો થા, [एतस्मिन्] આમાં [नित्यं] નિત્ય [सन्तुष्टः भव] સંતુષ્ટ થા અને [एतेन] આનાથી [तृप्तः भव] તૃપ્ત થા; (આમ કરવાથી) [तव] તને [उत्तमं सौख्यम्] ઉત્તમ સુખ [भविष्यति] થશે.

ટીકાઃ– (હે ભવ્ય!) એટલો જ સત્ય (-પરમાર્થસ્વરૂપ) આત્મા છે જેટલું આ જ્ઞાન છે-એમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્રમાં જ સદાય રતિ (-પ્રીતિ, રુચિ) પામ; એટલું જ સત્ય કલ્યાણ છે જેટલું આ જ્ઞાન છે-એમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્રથી જ સદાય સંતોષ પામ; એટલું જ સત્ય અનુભવનીય (અનુભવ કરવાયોગ્ય) છે જેટલું આ જ્ઞાન છે-એમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્રથી જ સદાય તૃપ્તિ પામ. એમ સદાય આત્મામાં રત, આત્માથી સંતુષ્ટ અને આત્માથી તૃપ્ત એવા તને વચનથી અગોચર એવું સુખ થશે; અને તે સુખ તે ક્ષણે જ તું જ સ્વયમેવ દેખશે, *બીજાઓને ન પૂછ. (તે સુખ પોતાને જ અનુભવગોચર છે, બીજાને શા માટે પૂછવું પડે?)

ભાવાર્થઃ– જ્ઞાનમાત્ર આત્મામાં લીન થવું, તેનાથી જ સંતુષ્ટ થવું અને તેનાથી જ તૃપ્ત થવું-એ પરમ ધ્યાન છે. તેનાથી વર્તમાન આનંદ અનુભવાય છે અને થોડા જ કાળમાં જ્ઞાનાનંદસ્વરૂપ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આવું કરનાર પુરુષ જ તે સુખને જાણે છે, બીજાનો એમાં પ્રવેશ નથી.

હવે જ્ઞાનાનુભવના મહિમાનું અને આગળની ગાથાની સૂચનાનું કાવ્ય કહે છેઃ-