जम्हा तम्हा गच्छदु तह वि हु ण परिग्गहो मज्झ।। २०९।।
यस्मात्तस्मात् गच्छतु तथापि खलु न परिग्रहो मम।। २०९।।
सामान्यतः स्वपरयोरविवेकहेतुम्।
अज्ञानमुज्झितुमना अधुना विशेषाद्
भूयस्तमेव परिहर्तुमयं प्रवृत्तः।। १४५।।
વા અન્ય કો રીત જાવ, પણ પરિગ્રહ નથી મારો ખરે. ૨૦૯.
[नीयतां वा] અથવા કોઈ લઈ જાઓ, [अथवा विप्रलयम् यातु] અથવા નષ્ટ થઈ જાઓ, [यस्मात् तस्मात् गच्छतु] અથવા તો ગમે તે રીતે જાઓ, [तथापि] તોપણ [खलु] ખરેખર [परिग्रहः] પરિગ્રહ [मम न] મારો નથી.
ટીકાઃ– પરદ્રવ્ય છેદાઓ, અથવા ભેદાઓ, અથવા કોઈ તેને લઈ જાઓ, અથવા નષ્ટ થઈ જાઓ, અથવા ગમે તે રીતે જાઓ, તોપણ હું પરદ્રવ્યને નહિ પરિગ્રહું; કારણ કે ‘પરદ્રવ્ય મારું સ્વ નથી, -હું પરદ્રવ્યનો સ્વામી નથી, પરદ્રવ્ય જ પરદ્રવ્યનું સ્વ છે, - પરદ્રવ્ય જ પરદ્રવ્યનો સ્વામી છે, હું જ મારું સ્વ છું, -હું જ મારો સ્વામી છું’-એમ હું જાણું છું.
ભાવાર્થઃ– જ્ઞાનીને પરદ્રવ્યના બગડવા-સુધરવાનો હર્ષવિષાદ હોતો નથી. હવે આ અર્થના કળશરૂપે અને આગળના કથનની સૂચનારૂપે કાવ્ય કહે છેઃ- *શ્લોકાર્થઃ–
_________________________________________________________________
* આ કળશનો અર્થ આ પ્રમાણે પણ થાય છેઃ- इत्थं] આ રીતે [स्वपरयोः अविवेकहेतुम्