Pravachan Ratnakar (Gujarati). Gatha: 209 Kalash: 145.

< Previous Page   Next Page >


PDF/HTML Page 2163 of 4199

 

ગાથા–૨૦૯
छिज्जदु वा भिज्जदु वा णिज्जदु वा अहव जादु विप्पलयं।
जम्हा तम्हा गच्छदु तह वि हु ण परिग्गहो मज्झ।। २०९।।
छिद्यतां वा भिद्यतां वा नीयतां वाथवा यातु विप्रलयम्।
यस्मात्तस्मात् गच्छतु तथापि खलु न परिग्रहो मम।।
२०९।।
(वसन्ततिलका)
इत्थं परिग्रहमपास्य समस्तमेव
सामान्यतः स्वपरयोरविवेकहेतुम्।
अज्ञानमुज्झितुमना अधुना विशेषाद्
भूयस्तमेव परिहर्तुमयं प्रवृत्तः।। १४५।।
‘વળી આ (નીચે પ્રમાણે) મારો નિશ્ચય છે’ એમ હવે કહે છેઃ–
છેદાવ, વા ભેદાવ, કો લઈ જાવ, નષ્ટ બનો ભલે,
વા અન્ય કો રીત જાવ, પણ પરિગ્રહ નથી મારો ખરે. ૨૦૯.
ગાથાર્થઃ– [छिद्यतां वा] છેદાઈ જાઓ, [भिद्यतां वा] અથવા ભેદાઈ જાઓ,

[नीयतां वा] અથવા કોઈ લઈ જાઓ, [अथवा विप्रलयम् यातु] અથવા નષ્ટ થઈ જાઓ, [यस्मात् तस्मात् गच्छतु] અથવા તો ગમે તે રીતે જાઓ, [तथापि] તોપણ [खलु] ખરેખર [परिग्रहः] પરિગ્રહ [मम न] મારો નથી.

ટીકાઃ– પરદ્રવ્ય છેદાઓ, અથવા ભેદાઓ, અથવા કોઈ તેને લઈ જાઓ, અથવા નષ્ટ થઈ જાઓ, અથવા ગમે તે રીતે જાઓ, તોપણ હું પરદ્રવ્યને નહિ પરિગ્રહું; કારણ કે ‘પરદ્રવ્ય મારું સ્વ નથી, -હું પરદ્રવ્યનો સ્વામી નથી, પરદ્રવ્ય જ પરદ્રવ્યનું સ્વ છે, - પરદ્રવ્ય જ પરદ્રવ્યનો સ્વામી છે, હું જ મારું સ્વ છું, -હું જ મારો સ્વામી છું’-એમ હું જાણું છું.

ભાવાર્થઃ– જ્ઞાનીને પરદ્રવ્યના બગડવા-સુધરવાનો હર્ષવિષાદ હોતો નથી. હવે આ અર્થના કળશરૂપે અને આગળના કથનની સૂચનારૂપે કાવ્ય કહે છેઃ- *શ્લોકાર્થઃ–

[इत्थं] આ રીતે [समस्तम् एव परिग्रहम्] સમસ્ત પરિગ્રહને

_________________________________________________________________

* આ કળશનો અર્થ આ પ્રમાણે પણ થાય છેઃ- इत्थं] આ રીતે [स्वपरयोः अविवेकहेतुम्