Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2196 of 4199

 

સમયસાર ગાથા-૨૧૨ ] [ ૨૮૩

સમયસાર ગાથા ૨૧૨ઃ મથાળું
હવે, જ્ઞાનીને આહારનો પણ પરિગ્રહ નથી એમ કહે છેઃ-
* ગાથા ૨૧૨ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘ઇચ્છા પરિગ્રહ છે. તેને પરિગ્રહ નથી-જેને ઇચ્છા નથી.’ શું કહ્યું? આ રાગની ઇચ્છા ઉત્પન્ન થવી તે પરિગ્રહ છે. અહા! જેને ઇચ્છા જ નથી, આહારની પણ ઇચ્છા જ નથી અર્થાત્ ઇચ્છા થઈ છે પણ ઇચ્છાની જેને ઇચ્છા નથી તેને પરિગ્રહ નથી એમ કહે છે.

પ્રશ્નઃ– ‘ઇચ્છાની ઇચ્છા’નો શું અર્થ છે! સમાધાનઃ– ઇચ્છાની ઇચ્છા નથી એનો અર્થ એ છે કે-ઇચ્છા ઠીક છે એવો જ્ઞાનીને મિથ્યાભાવ નથી. સમજાણું કાંઈ...! હવે કહે છે-

‘ઇચ્છા તો અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી, જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે.’

શું કહ્યું? ઇચ્છામાત્રમાં જ્ઞાયકસ્વભાવી ભગવાન આત્માની ચૈતન્યજ્યોતિના તેજના નૂરનો અભાવ છે; ઇચ્છામાં આત્માના ચૈતન્યનું કિરણ નથી. તે કારણે ઇચ્છાને અજ્ઞાનમય ભાવ કહ્યો છે. જ્ઞાનીને ઇચ્છા મારી છે વા જે ઇચ્છા થાય છે તે ભલી-ઠીક છે એવો ભાવ હોતો નથી. જ્ઞાની વિચારે છે-અહા! હું તો જ્ઞાનમય અને આનંદમય છું, તો તેમાં ઇચ્છા મારી છે એમ કયાંથી આવ્યું? જ્ઞાનીને ઇચ્છાનું સ્વામિત્વ હોતું જ નથી. ઇચ્છા છે એ તો રાગ છે, અજ્ઞાન છે. અજ્ઞાન શબ્દે મિથ્યાત્વ એમ નહિ, પણ જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા જેમ જ્ઞાનમય છે તેમ રાગ-ઇચ્છા જ્ઞાનમય નથી અને તેથી ઇચ્છા અજ્ઞાનમય છે. અજ્ઞાન = અ+જ્ઞાન એટલે જ્ઞાન નહિ તે. જ્ઞાન તો આત્મા છે ને આત્મામાં ઇચ્છા નથી; માટે ઇચ્છા અજ્ઞાન છે. અહીં કહે છે-જ્ઞાનીને ઇચ્છા મારી છે એમ નથી તેથી તેને અજ્ઞાનમય ભાવ હોતો નથી.

અહા! ‘જ્ઞાનીને જ્ઞાનમય ભાવ જ હોય છે.’ જ્ઞાનીને શુદ્ધ એક ચૈતન્યસ્વભાવનું -જ્ઞાતાદ્રષ્ટાસ્વભાવનું પરિણમન હોય છે તેથી તેને જ્ઞાનમય અર્થાત્ વીતરાગતામય- આનંદમય ભાવ જ હોય છે. તેને જે અલ્પ રાગ થાય છે તેનો તે માત્ર જ્ઞાતા જ રહે છે. તેને તો પોતાના સ્વભાવનું જ્ઞાન ને જે રાગ છે તેનું જ્ઞાન-એમ જ્ઞાનમય ભાવ જ હોય છે. અહા! આ તો કોઈ અલૌકિક વાત છે! હવે કહે છે-

‘તેથી અજ્ઞાનમય ભાવ જે ઇચ્છા તેના અભાવને લીધે જ્ઞાની અશનને ઇચ્છતો નથી; માટે જ્ઞાનીને અશનનો પરિગ્રહ નથી.’