Pravachan Ratnakar (Gujarati). Gatha: 215.

< Previous Page   Next Page >


PDF/HTML Page 2219 of 4199

 

ગાથા–૨૧પ
उप्पण्णोदयभोगो वियोगबुद्धीए तस्स सो णिच्चं।
कंखामणागदस्स य उदयस्स ण कुव्वदे णाणी।। २१५।।
उत्पन्नोदयभोगो वियोगबुद्धया तस्य स नित्यम्।
कांक्षामनागतस्य च उदयस्य न करोति ज्ञानी।।
२१५।।
હવે, જ્ઞાનીને ત્રણે કાળ સંબંધી પરિગ્રહ નથી એમ કહે છેઃ-
ઉત્પન્ન ઉદયનો ભોગ નિત્ય વિયોગભાવે જ્ઞાનીને,
ને ભાવી કર્મોદય તણી કાંક્ષા નહીં જ્ઞાની કરે. ૨૧પ.
ગાથાર્થઃ– [उत्पन्नोदयभोगः] જે ઉત્પન્ન (અર્થાત્ વર્તમાન કાળના) ઉદયનો

ભોગ [सः] તે, [तस्य] જ્ઞાનીને [नित्यम्] સદા [वियोगबुद्धया] વિયોગબુદ્ધિએ હોય છે [च] અને [अनागतस्य उदयस्य] આગામી (અર્થાત્ ભવિષ્ય કાળના) ઉદયની [ज्ञानी] જ્ઞાની [कांक्षाम्] વાંછા [न करोति] કરતો નથી.

ટીકાઃ– કર્મના ઉદયનો ઉપભોગ ત્રણ પ્રકારનો હોય-અતીત (ગયા કાળનો), પ્રત્યુત્પન્ન (વર્તમાન કાળનો) અને અનાગત (ભવિષ્ય કાળનો). તેમાં પ્રથમ, જે અતીત ઉપભોગ તે અતીતપણાને લીધે જ (અર્થાત્ વીતી ગયો હોવાને લીધે જ) પરિગ્રહભાવને ધારતો નથી. અનાગત ઉપભોગ જો વાંછવામાં આવતો હોય તો જ પરિગ્રહભાવને (પરિગ્રહપણાને) ધારે; અને જે પ્રત્યુત્પન્ન ઉપભોગ તે રાગબુદ્ધિએ પ્રવર્તતો હોય તો જ પરિગ્રહભાવને ધારે.

પ્રત્યુત્પન્ન કર્મોદય-ઉપભોગ જ્ઞાનીને રાગબુદ્ધિએ પ્રવર્તતો જોવામાં આવતો નથી કારણ કે જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ જે રાગબુદ્ધિ તેનો અભાવ છે; અને કેવળ વિયોગબુદ્ધિએ જ (હેયબુદ્ધિએ જ) પ્રવર્તતો તે ખરેખર પરિગ્રહ નથી. માટે પ્રત્યુત્પન્ન કર્મોદય-ઉપભોગ જ્ઞાનીને પરિગ્રહ નથી (-પરિગ્રહરૂપ નથી).

જે અનાગત ઉપભોગ તે તો ખરેખર જ્ઞાનીને વાંછિત જ નથી (અર્થાત્ જ્ઞાનીને તેની વાંછા જ નથી) કારણ કે જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ જે વાંછા તેનો અભાવ છે. માટે અનાગત કર્મોદય-ઉપભોગ જ્ઞાનીને પરિગ્રહ નથી (-પરિગ્રહરૂપ નથી).

ભાવાર્થઃઅતીત કર્મોદય-ઉપભોગ તો વીતી જ ગયો છે. અનાગત ઉપભોગની વાંછા નથી; કારણ કે જે કર્મને જ્ઞાની અહિતરૂપ જાણે છે તેના આગામી ઉદયના ભોગની વાંછા તે કેમ કરે? વર્તમાન ઉપભોગ પ્રત્યે રાગ નથી; કારણ કે જેને હેય