૩૬૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭
અરે ભાઈ! કેવળી તો હમણાં નથી, પણ સમકિતી તો છે ને? કેવળજ્ઞાનનું બીજ એવું સમ્યગ્દર્શન તો છે ને? કેવળજ્ઞાનનું યથાર્થ શ્રદ્ધાન તો છે કે નહિ? છે; તો તેઓ યથાર્થ જ કહે છે. સમકિતમાં શું ફરક છે? સમકિતમાં-તિર્યંચના સમકિતમાં ને સિદ્ધના સમકિતમાં-કોઈ ફેર નથી.
તો (મોક્ષમાર્ગ પ્રકાશકમાં) કહે છે-“કાળલબ્ધિ અને ભવિતવ્ય તો કોઈ વસ્તુ જ નથી, જે કાળમાં કાર્ય બને તે જ કાળલબ્ધિ તથા જે કાર્ય થયું તે જ ભવિતવ્ય. વળી કર્મના ઉપશમાદિક છે તે તો પુદ્ગલની શક્તિ છે, તેનો કર્તા-હર્તા આત્મા નથી, તથા પુરુષાર્થથી ઉદ્યમ કરવામાં આવે છે તે આત્માનું કાર્ય છે માટે આત્માને પુરુષાર્થપૂર્વક ઉદ્યમ કરવાનો ઉપદેશ આપીએ છીએ.” અહાહા...! પં. શ્રી ટોડરમલજીએ કાંઈ કામ કર્યું છે! અજ્ઞાનીના વર્ષોના પ્રશ્નોના ખુલાસા કર્યા છે, તેથી તો તેઓ ‘આચાર્યકલ્પ’ કહેવાયા છે. અહો! શબ્દે શબ્દે આખા શાસ્ત્રનો સાર (-માખણ ભર્યો છે!
જે સમયે કાર્ય થયું તે કાળલબ્ધિ છે અને જે ભાવ થયો તે ભવિતવ્યતા છે. હવે વિશેષ કહે છે-
“હવે આ આત્મા જે કારણથી કાર્યસિદ્ધિ અવશ્ય થાય તે કારણરૂપ ઉદ્યમ કરે ત્યાં તો અન્ય કારણો અવશ્ય મળે જ અને કાર્યની સિદ્ધિ પણ અવશ્ય થાય જ; તથા જે કારણથી કાર્યસિદ્ધિ થાય અથવા ન પણ થાય તે કારણરૂપ ઉદ્યમ કરે તો ત્યાં અન્ય કારણ મળે તો કાર્યસિદ્ધિ થાય, ન મળે તો ન થાય, હવે જિનમતમાં જે મોક્ષનો ઉપાય કહ્યો છે તેનાથી તો મોક્ષ અવશ્ય થાય જ.” લ્યો, આ સંપ્રદાયમાં મોટી ચર્ચા ચાલતી હતી તેનો ખુલાસો.
ભાઈ! ભગવાને દીઠું હશે તે દિ’ થાશે એમ વિચારી પુરુષાર્થહીન થવું, પ્રમાદી રહેવું એ તો અજ્ઞાન છે. ભગવાને દીઠું હશે તે દિ’ થાશે, માટે આપણે અત્યારે પુરુષાર્થ કરી શકીએ નહિ-એમ જો હોય તો આ દીક્ષાથી શું કામ છે? અરે ભાઈ! જ્યારે પુરુષાર્થ સ્વભાવસન્મુખનો થયો ત્યારે કાળલબ્ધિ થઈ ગઈ અને ભાવ પણ સમ્યગ્દર્શનનો થઈ ગયો. ભાઈ! આ તો મતાગ્રહ-હઠાગ્રહ છોડીને સમજવા માગે તો બેસી જાય એવી વાત છે; બાકી મતાગ્રહથી કે વાદવિવાદથી બેસે એવી વાત નથી. સમ્યગ્જ્ઞાનદીપિકામાં આવે છે કે ‘સદ્ગુરુ કહૈ સહજકા ધંધા વાદવિવાદ કરૈ સો અંધા.” લ્યો, આ તમારા બધા તો (મતાગ્રહના) પાપના ધંધા છે, જ્યારે આ તો સહજનો ધંધો છે. ભગવાન આત્મા સહજાનંદસ્વરૂપ પ્રભુ સહજ એક જ્ઞાયકસ્વરૂપ છે, કેમકે તે અકૃત્રિમ છે અર્થાત્ કોઈએ એને કર્યો છે એમ નથી. અહા! તેના તરફનો પુરુષાર્થ કરીને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની રમણતા કરવી તે સહજનો ધંધો છે. તથા