Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 232 of 4199

 

ભાગ-૧ ] ૨૨પ

પ્રવચન નંબરઃ દિનાંકઃ પ્રવચન નંબરઃ દિનાંકઃ
૪૨ ૧૧-૧-૭૬ ૪૭ ૧૬-૧-૭૬
૪૩ ૧૨-૧-૭૬ ૪૮ ૧૭-૧-૭૬
૪૪ ૧૩-૧-૭૬ ૪૯ ૧૮-૧-૭૬ અને
૪પ ૧૪-૧-૭૬ પ૦ ૧૯-૧-૭૬
૪૬ ૧પ-૧-૭૬
* સમયસાર ગાથા–૧૪ *

હવે શુદ્ધનયને ગાથાસુત્રથી કહે છેઃ-

કેવો જીવ જાણવાથી જીવ જાણ્યો કહેવાય એ વાત કરે છે. ખરેખર ભગવાન આત્મા અબદ્ધ છે, રાગ અને કર્મના સંબંધ વિનાની ચીજ છે. (જ્ઞાનની) પર્યાયમાં રાગની સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ એ તો વ્યવહાર છે, પરંતુ રાગનો કર્મની સાથે જે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ એ પણ અસદ્ભૂત વ્યવહાર છે. આત્મા અબદ્ધ કહેતાં રાગ અને કર્મના સંબંધ વિનાની ત્રિકાળી ચીજ છે એની અંતર્દ્રષ્ટિ કરવી એ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે. એવા આત્માને જાણે ત્યારે આત્માને જાણ્યો એમ ખરેખર કહેવામાં આવે છે.

* ગાથા–૧૪ઃ ગાથાર્થ ઉપરનું પ્રવચન *

यः જે નય आत्मानम् આત્માને अबद्धस्पृष्टम् બંધરહિત અને પરના સ્પર્શરહિત, अनन्यकं અન્યપણા રહિત, नियतम् ચળાચળતા રહિત, अविशेषम् વિશેષ રહિત, असंयुक्तम् અન્યના સંયોગ રહિત-એવા પાંચભાવરૂપ पश्यति દેખે છે तं તેને, હે શિષ્ય! તું शुद्धनयं શુદ્ધનય विजानिहि જાણ.

જુઓ, નિશ્ચયનય-શુદ્ધનય આત્માને અબદ્ધસ્પૃષ્ટ જુએ છે, બંધરહિત અને પરના સ્પર્શરહિત જુએ છે. અબદ્ધસ્પૃષ્ટને અબદ્ધસ્પૃષ્ટ સ્વભાવ દેખતો નથી. અબદ્ધસ્પૃષ્ટ એ તો ત્રિકાળી વસ્તુ છે. એવા ત્રિકાળી વસ્તુ તરફ નિર્મળ જ્ઞાનની પર્યાય ઝૂકે છે ત્યારે અબદ્ધસ્પૃષ્ટનો અનુભવ થાય છે. એને શુદ્ધોપયોગ કહે છે. ત્રિલોકનાથ જિનેન્દ્રદેવનું જિનશાસન એ શુદ્ધોપયોગ છે. એ શુદ્ધોપયોગ આત્માને અબદ્ધસ્પૃષ્ટ એટલે બંધરહિત અને પરના સ્પર્શરહિત, અન્યપણા રહિત નામ અનેરી નરનારકાદિ ગતિ રહિત, ચળાચળતા રહિત કહેતાં વૃદ્ધિ-હાનિ રહિત, વિશેષ રહિત એટલે ગુણ-ગુણીના ભેદ રહિત