સમયસાર ગાથા-૨૨૮ ] [ ૪૪૭
પરલોકને ન માને તેથી શું? પોતે અનાદિઅનંત વસ્તુ આત્મા છે કે નહિ? અને છે તો દેહથી છૂટીને કયાંક જાય છે કે નહિ? અરે! પોતાના સ્વરૂપના ભાન વિના અજ્ઞાની ચારગતિમાં પરલોકમાં અનાદિથી રખડે છે.
અહા! જ્ઞાની જાણે છે કે આ સદા ચિત્સ્વરૂપ મારો આત્મા જ મારો એક, નિત્ય- શાશ્વત લોક છે જે સર્વકાળે પ્રગટ છે. આવા સ્વરૂપનો સમકિતીને પર્યાયમાં નિર્ણય અનુભવ હોય છે. હવે કહે છે-
‘આ સિવાયનો બીજો કોઈ લોક મારો નથી. આ મારો ચૈતન્યસ્વરૂપ લોક તો કોઈથી બગાડયો બગડતો નથી.’
ભગવાન આત્મા ચૈતન્યસ્વરૂપી લોક છે. ‘लोक्यन्ते इति लोकः’ જેમાં ચૈતન્ય જણાય તે (આત્મા) લોક છે. ‘लोक्यन्ते इति लोकः’ं જેમાં વસ્તુ (દ્રવ્યસમૂહ) જણાય તે લોક છે. આત્માને ચૈતન્યલોક કેમ કહ્યો? કેમકે તેમાં ચેતન-અચેતન જણાય એવો તેનો સ્વભાવ છે. માટે જેમાં મારું ચૈતન્યસ્વરૂપ જણાય તે ચિત્સ્વરૂપ આત્મા મારો લોક છે. આ સિવાય બીજો કોઈ મારો લોક નથી.
પોતાની બહાર કાંઈ પણ પોતાનું નથી? ના, પોતાની બહાર કાંઈ પણ પોતાનું નથી. નાશવાન્ પોતાની પર્યાય જ્યાં ત્રિકાળી શુદ્ધ આત્મામાં નથી ત્યાં અન્યદ્રવ્યની શું વાત! અહાહા...! એક જ્ઞાયકભાવ નિત્યાનંદ અવિનાશિક પ્રભુ આત્મા જે ‘लोक्यन्ते’ મારામાં જણાય છે તે જ મારો લોક છે અને તે ત્રિકાળ એકરૂપ છે, કોઈથી બગાડયો બગડતો નથી. આવા ત્રિકાળ એકરૂપ શુદ્ધ ચિત્સ્વરૂપ લોક સિવાય જગતમાં બીજો કોઈ મારો લોક નથી.
હવે કહે છે-‘આવું જાણતા જ્ઞાનીને આ લોકનો કે પરલોકનો ભય કયાંથી હોય? કદી ન હોય.’
અહાહા...! આ લોક ને પરલોક સંબંધી સામગ્રી અર્થાત્ જગત્ના પદાર્થો બધા કાલાગ્નિનાં ઇંધન છે. લાકડાં જેમ અગ્નિમાં બળી જાય તેમ તેઓ કાલાગ્નિમાં બળી જવા યોગ્ય છે, જ્યારે પોતે જ એક ત્રિકાળ જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન છે. આવું જાણતા જ્ઞાનીને આ લોકનો કે પરલોકનો ભય કયાંથી હોય? અજ્ઞાનીને આ લોક ને પરલોકનો ભય છે કેમકે તે જ્યાં પડાવ નાખે છે ત્યાં એ બધું મારું છે એમ માની બેસે છે. અહા! ત્રિકાળી આનંદનો નાથ ચૈતન્યમહાપ્રભુ પોતાનો છે ત્યાં પડાવ કરતો નથી અને જ્યાં જ્યાં (ચાર ગતિમાં) પડાવ કરે છે ત્યાં બધું મારું છે એમ અજ્ઞાની માને છે. પણ ભાઈ! બહારના ભભકા-આ શેઠપદ, રાજપદ ને દેવપદના ભભકા-બધા નાશવાન છે.
અહાહા...! આ લોકની સામગ્રી ને પરલોકની સામગ્રી મારા ચૈતન્યલોકમાં-