૪પ૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭
स्वयं अनाकुलैः सदा वेद्यते’ એક અચળ જ્ઞાન જ સ્વયં નિરાકુળ પુરુષો વડે (- જ્ઞાનીઓ વડે) સદા વેદાય છે ‘एषा एका एव हि वेदना’ તે આ એક જ વેદના જ્ઞાનીઓને છે.
જુઓ, એક અચળ જ્ઞાન જ સદા વેદાય છે-એમ કહ્યું ને! ત્યાં અચળ તો ત્રિકાળી છે. (તે કાંઈ વેદાતું નથી. પણ અચળ જ્ઞાન ઉપર દ્રષ્ટિ છે ને? માટે અચળ વેદાય છે એમ કહ્યું છે; બાકી વેદાય છે એ તો પર્યાય છે. આ તો મંત્રો બાપા! મોહનિદ્રામાંથી જગાડનારા આ મહા મંત્રો છે. જાગ રે જાગ ભાઈ! આવાં ટાણાં આવ્યાં ત્યારે સૂવું ન પાલવે નાથ! અહા! ભગવાન છો ને પ્રભુ! તું? આ બહારની- રાગની ને સંયોગની-ધૂળની-મહિમામાં તું ભીંસાઈ ગયો ને પ્રભુ! ત્યાંથી હઠી જા, ને આ અચળ એક જ્ઞાન જ તારું સ્વરૂપ છે તેનો અભેદપણે અનુભવ કર.
અહીં કહે છે-‘એક અચળ જ્ઞાન જ સ્વયં નિરાકુળ પુરુષો વડે...’ જોયું? જ્ઞાન ને આનંદ-બેય નાખ્યા. ‘એક અચળ જ્ઞાન જ’ અર્થાત્ રાગ નહિ, પુણ્ય નહિ ને વિકલ્પ પણ નહિ પણ એક જ્ઞાન જ વેદાય છે. વળી ‘સ્વયં નિરાકુળ પુરુષો વડે’ એટલે કે જેમણે રાગના અભાવપૂર્વક નિરાકુળ આનંદનો અનુભવ કર્યો છે તેવા પુરુષો વડે જ્ઞાન ને આનંદ જ વેદાય છે. ભગવાન આત્મા અચળ એક જ્ઞાનાનંદનું ધ્રુવ બિંબ પ્રભુ છે. એનો જેને આશ્રય વર્તે છે તે જ્ઞાનીઓ નિરાકુળ પુરુષો છે અને તેઓ વડે એક જ્ઞાન જ સદા વેદાય છે અર્થાત્ તેઓને આત્માનાં એક જ્ઞાન ને આનંદનું જ વેદન હોય છે.
‘एषा एका एव वेदना’ તે આ એક જ વેદના જ્ઞાનીઓને છે. ‘एषा’–એમ કહ્યું ને? એટલે આ પ્રત્યક્ષ જે આત્માના નિરાકુળ આનંદનું વેદન છે તે એક જ વેદન જ્ઞાનીઓને છે, પણ રાગનું વેદન છે એમ નહિ. અહા! મારગ બાપુ! વીતરાગનો બહુ ઝીણો છે. બહારની પ્રવૃત્તિથી મળી જાય એવો આ મારગ નથી, બહારની પ્રવૃત્તિ તો વિભાવ છે અને તે તેના (-જીવના) સ્વભાવમાં નથી; પછી એનાથી સ્વભાવની પ્રાપ્તિ કેમ થાય? અહા! આત્મા અનંતગુણનો પિંડ પ્રભુ છે, પણ તેમાં એકેય ગુણ એવો નથી જે વિકારને કરે. પર્યાયમાં યોગ્યતાને લઈને વિકાર ભલે થાય, પણ આત્માનો ગુણ- સ્વભાવ એવો નથી કે વિકારને કરે ને વિકારને વેદે. તેથી અભેદપણે વર્તતા વેદ્ય-વેદકના બળથી જ્ઞાનીને એક જ્ઞાન જ વેદાય છે. આવી વાત છે.
અહા! પર્યાય તરીકે આખો આત્મા પર્યાયમાં વેદાય છે, અને આ એક જ વેદના જ્ઞાનીને છે. મતલબ કે આ સાતા કે અસાતાનું વેદન જ્ઞાનીને નથી એમ કહે છે. પોતે જ્ઞાન જ વેદાવાયોગ્ય અને પોતે જ્ઞાન જ વેદનાર એમ કહે છે. આ બધી પર્યાયની વાત છે હોં. પર્યાયમાં પર્યાયના ષટ્કારક છે ને! દ્રવ્ય-ગુણમાં જેમ ધ્રુવ ષટ્કારક છે