૪પ૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ આગંતુક ગણીને તેને છે નહિ એમ કહ્યું છે. અહા! જ્ઞાનીને કોઈ બહારની વેદનાનો ભય નથી કેમકે તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો એક સ્વાભાવિક જ્ઞાનને જ સદા અનુભવે છે.
‘સુખ-દુઃખને ભોગવવું તે વેદના છે. જ્ઞાનીને પોતાના એક જ્ઞાનમાત્ર સ્વરૂપનો જ ભોગવટો છે.’
જુઓ, શું કહ્યું? કે ધર્મીને પોતાના એક જ્ઞાનમાત્ર સ્વરૂપનો જ, એક નિજ આનંદસ્વરૂપનો જ ભોગવટો છે. વ્યવહારરત્નત્રયના રાગનો પણ તેને ભોગવટો નથી એમ કહે છે; કેમકે એ તો તેનો (વ્યવહારરત્નત્રયનો) જ્ઞાતા જ છે. એ તો બારમી ગાથામાં આવ્યું ને કે વ્યવહાર તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. વ્યવહાર હોય છે તેને જ્ઞાની જાણે જ છે બસ એટલું, પણ વેદતો નથી. અહીં તો મુખ્યનું જોર છે ને? જ્ઞાનીને સ્વભાવ મુખ્ય છે અને સ્વભાવની મુખ્યતામાં રાગની વેદનાને ગૌણ કરીને રાગને તે વેદતો નથી એમ કહેવામાં આવ્યું છે.
જુઓ, શ્રેણીક રાજા ક્ષાયિક સમકિતી હાલ નરકમાં છે. જેટલો કષાયભાવ છે તેટલું ત્યાં દુઃખનું વેદન છે. પરંતુ તે કષાયભાવ વસ્તુમાં-આત્મામાં નથી ને તેની નિર્મળ પર્યાયમાં પણ નથી. જેને તે વેદે છે તે પર્યાયમાં કષાયભાવ કયાં છે? નથી. માટે જ્ઞાનીને તો એક જ્ઞાનસ્વરૂપનો જ ભોગવટો છે. આવો મારગ છે.
વિશેષ કહે છે કે-જ્ઞાની ‘પુદ્ગલથી થયેલી વેદનાને વેદના જ જાણતો નથી.’ જુઓ, નિર્જરા અધિકારની ૧૯૪ મી ગાથામાં આવ્યું કે-વેદના શાતા-અશાતાને ઓળંગતી નથી. જ્ઞાનીને પણ જરી વેદન આવી જાય છે, પણ તે નિર્જરી જાય છે. મુનિને પણ જેટલો વિકલ્પ છે તેટલો રાગ છે પણ તેને અહીં ગણ્યો નથી અને કહ્યું કે-પુદ્ગલથી થયેલી વેદનાને જ્ઞાની વેદના જ જાણતો નથી.
જ્ઞાનની પ્રધાનતાથી વાત હોય ત્યારે જ્ઞાનીને જે રાગનું પરિણમન છે તેનો તે કર્તા છે ને તેને તેનું વેદન પણ છે એમ કહેવાય છે. એ તો તે રાગ પરને લઈને ને પરમાં નથી પણ પોતાની કમજોરીને લઈને પોતામાં છે એમ જ્ઞાની જાણે છે. અહા! કમજોરી છે ને? તો કમજોરી છે એમ જ્ઞાની જાણે છે. પરંતુ દ્રષ્ટિ ને દ્રષ્ટિના વિષયમાં કય ાં કમજોરી છે? કમજોરી દ્રષ્ટિનો વિષય નથી. પર્યાય જ્યાં દ્રષ્ટિનો વિષય જ નથી ત્યાં કમજોરી દ્રષ્ટિના વિષયમાં કયાંથી આવે? તેથી દ્રષ્ટિની મુખ્યતામાં કમજોરીને ગણી જ નથી, અન્ય વેદના ગણી જ નથી.
તેથી કહે છે કે-‘માટે જ્ઞાનીને વેદનાભય નથી. તે તો સદા નિર્ભય વર્તતો થકો