૪પ૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭
શું કહે છે? કે વસ્તુ પોતે જ પોતામાં ગુપ્ત છે. તેમાં બીજાનો કોઈનોય પ્રવેશ નથી. શરીર, મન, વાણી ઇત્યાદિ પરનો તેમાં પ્રવેશ નથી એ તો ઠીક, તેમાં રાગાદિ વિકલ્પનોય પ્રવેશ નથી. ભગવાન આત્મા આનંદકંદ પ્રભુ અખંડ એક જ્ઞાયકસ્વભાવની મૂર્તિ છે. તે સ્વરૂપથી જ પરમ ગુપ્ત છે. તેમાં દયા, દાન આદિ વિકલ્પનોય પ્રવેશ નથી.
જુઓ, વસ્તુનું સ્વરૂપ જ વસ્તુની પરમ ગુપ્તિ છે એમ કહે છે. કેમ? તો કહે છે-‘यत् स्वरूपे कः अपि परः प्रवेष्टुम् न शक्तः’ કારણ કે સ્વરૂપમાં કોઈ બીજું પ્રવેશ કરી શકતું નથી. જુઓ, જેમ કિલ્લો હોય અને તેમાં કોઈ પ્રવેશી શકે નહિ તેમ પોતે જ ગુપ્ત કિલ્લો છે, ધ્રુવ અભેદ્ય કિલ્લો છે. તેમાં શરીરાદિ તો શું? વ્યવહારરત્નત્રયના વિકલ્પનો ને એક સમયની નિર્મળ પર્યાયનો પણ પ્રવેશ નથી. અહા! અંદર પરમ ગુપ્ત પદાર્થ પ્રભુ આત્મા છે તેને પર્યાય જુએ છે, અનુભવે છે પણ તેમાં તે પર્યાયનો પ્રવેશ નથી.
અહાહા...! પોતાનું સ્વરૂપ જે શાશ્વત ધ્રુવ જ્ઞાન ને આનંદ છે તેમાં કોઈ બીજું પ્રવેશ કરી શકતું નથી. એ જ કહે છે કે-‘च’ અને ‘अकृतं ज्ञानं नुः स्वरूपं’ અકૃત જ્ઞાન (-જે કોઈથી કરવામાં આવ્યું નથી એવું સ્વાભાવિક જ્ઞાન) પુરુષનું અર્થાત્ આત્માનું સ્વરૂપ છે. પર્યાય તો નવી થાય છે, પણ જ્ઞાન અકૃત છે. જાણગ... જાણગ... જાણગ-એવો જે ભાવ તે અકૃત નામ અકૃત્રિમ છે, અને તે આત્માનું સ્વરૂપ છે. તેથી જ્ઞાન આત્માની પરમ ગુપ્તિ છે, અર્થાત્ જ્ઞાનસ્વભાવી આત્મા પરમ ગુપ્ત જ છે.
‘अतः अस्य न काचन अगुप्तिः भवेत्’ માટે આત્માનું જરા પણ અગુપ્તપણું નહિ હોવાથી ‘ज्ञानिनः तद–भीः कुतः’ જ્ઞાનીને અગુપ્તિનો ભય કયાંથી હોય? અહાહા...! આત્મામાં બીજી ચીજ પ્રવેશી શકતી જ નથી તો ધર્મીને અગુપ્તિનો ભય કયાંથી હોય? વસ્તુ જ સદા પોતે ગુપ્ત છે અને ધર્મીની દ્રષ્ટિ ત્રિકાળી શાશ્વત પોતાની ગુપ્ત વસ્તુ પર છે, પછી એને અગુપ્તિનો ભય કયાંથી હોય? એ તો નિર્ભય જ છે, નિઃશંક જ છે.
‘सः स्वयं सततं निश्शंकः सहजं ज्ञानं सदा विन्दति’ તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે. લ્યો, છયે કળશમાં આ શબ્દો છે. (સાત ભય પૈકી પહેલા કળશમાં આ લોકભય ને પરલોકભય ભેગા લીધા છે). કહે છે-પોતે પોતાની પર્યાયમાં સહજ જ્ઞાનાનંદસ્વભાવને ‘सततं’ કહેતા અખંડધારાએ અનુભવે છે. ભલે વિકલ્પમાં આવ્યો-એમ દેખાય પણ તે વિકલ્પમાં આવ્યો નથી એમ કહે છે. એને તો શાશ્વત એક જ્ઞાનસ્વભાવ પ્રત્યેનું વલણ નિરંતર-અખંડધારાએ