Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2391 of 4199

 

૪૭૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭

દ્રષ્ટિનો વિષય નિત્યાનંદસ્વરૂપ પ્રભુ આત્મા છે. અતીન્દ્રિય આનંદનો ભોગવટો ભલે પર્યાયમાં થાય. પણ તે પર્યાય દ્રષ્ટિનો વિષય નથી. દ્રષ્ટિનો વિષય તો અવિકારી રસનો કંદ ચૈતન્યમૂર્તિ નિત્યાનંદ ચિદાનંદકંદ પ્રભુ આત્મા છે, અને તેના સર્વસ્વને ભોગવનાર જ્ઞાની છે, કેમકે વસ્તુ તો અંદર પરિપૂર્ણ છે. જ્ઞાની શરીરને ભોગવતો નથી, રાગને ભોગવતો નથી અને અલ્પજ્ઞતાને પણ ભોગવતો નથી. એની દ્રષ્ટિ પૂર્ણ પર છે ને તે પૂર્ણને ભોગવે છે. અહા! ભોગવાય છે અલ્પજ્ઞમાં (પર્યાયમાં), પણ ભોગવે છે સર્વસ્વને-પૂર્ણને. આવો મારગ ભાઈ! જન્મ-મરણ રહિત થવાનો પંથ આવો અદ્ભુત આશ્ચર્યકારી છે.

હવે કહે છે-‘पूर्वोपात्तं’ પરંતુ જે કર્મ પૂર્વે બંધાયું હતું ‘तद्–अनुभवतः’ તેના ઉદયને ભોગવતાં તેને ‘निश्चितं’ નિયમથી ‘निर्जरा एव’ તે કર્મની નિર્જરા જ થાય છે.

‘ઉદયને ભોગવતાં’ એમ કહ્યું ને? મતલબ કે ઉદયમાં જરી લક્ષ જાય છે પણ તે ખરી જાય છે, બંધ પમાડતું નથી. અહા! ‘ધિંગ ધણી માથે ક્યિો...’ પછી શું છે? અર્થાત્ ચૈતન્યમહાપ્રભુ-પૂર્ણ સત્તાનું સત્ત્વ-જેણે દ્રષ્ટિમાં લીધું, અનુભવમાં લીધું તેને નવાં કર્મબંધન થાય નહિ અને જૂનાં કર્મ હોય તે ખરી જાય છે. લ્યો, આવી વાત!

પ્રશ્નઃ– ફળ આપ્યા વિના ખરી જાય? ઉત્તરઃ– હા, તે ફળ આપ્યા વિના ખરી જાય છે. ઉદય છે તે નિર્જરા થઈ જાય છે. અને કર્મ તો શું છે? એ તો જડ છે; પણ પર્યાયમાં જે દુઃખનું ફળ આવતું હતું તે, આનંદ તરફનો આશ્રય છે તેથી, આવતું નથી. અહા! આવો મારગ બાપા! ૮૪ ના જન્મસમુદ્રમાંથી તરવાનો ઉપાય આ એક જ છે. એના વિના તો ૮૪ના ચક્રાવાના દુઃખ જ છે.

* કળશ ૧૬૧ઃ ભાવાર્થ *

‘સમ્યગ્દ્રષ્ટિ પૂર્વે બંધાયેલી ભય આદિ પ્રકૃતિઓના ઉદયને ભોગવે છે તોપણ નિઃશંક્તિ આદિ ગુણો વર્તતા હોવાથી તેને શંકાદિકૃત (શંકાદિના નિમિત્તે થતો) બંધ થતો નથી પરંતુ પૂર્વકર્મની નિર્જરા જ થાય છે.’ અહીં ‘ગુણ’ શબ્દે પર્યાય છે એમ સમજવું.

[પ્રવચન નં. ૨૯૮ થી ૩૦૨ (ચાલુ) *દિનાંક ૨૧-૧-૭૭ થી ૨પ-૧-૭૭]