Pravachan Ratnakar (Gujarati). Gatha: 229.

< Previous Page   Next Page >


PDF/HTML Page 2392 of 4199

 

ગાથા–૨૨૯
जो चत्तारि वि पाए छिंददि ते कम्मबंधमोहकरे।
सो णिस्संको चेदा सम्मादिट्ठी मुणेदव्वो।। २२९।।
यश्चतुरोऽपि पादान् छिनत्ति तान् कर्मबन्धमोहकरान्।
स निश्शङ्कश्चेतयिता सम्यग्द्रष्टिर्ज्ञातव्यः।। २२९।।

હવે આ કથનને ગાથાઓ દ્વારા કહે છે, તેમાં પ્રથમ નિઃશંકિત અંગની (અથવા નિઃશંકિત ગુણની-ચિહ્નની) ગાથા કહે છેઃ-

જે કર્મબંધનમોહકર્તા પાદ ચારે છેદતો,
ચિન્મૂર્તિ તે શંકારહિત સમકિતદ્રષ્ટિ જાણવો. ૨૨૯.

ગાથાર્થઃ– [यः चेतयिता] જે *ચેતયિતા, [कर्मबन्धमोहकरान्] કર્મબંધ સંબંધી મોહ કરનારા (અર્થાત્ જીવ નિશ્ચયથી કર્મ વડે બંધાયો છે એવો ભ્રમ કરનારા) [तान् चतुरः अपि पादान्] મિથ્યાત્વાદિ ભાવોરૂપ ચારે પાયાને [छिनत्ति] છેદે છે, [सः] તે [निश्शङ्कः] નિઃશંક [सम्यग्द्रष्टिः] સમ્યગ્દ્રષ્ટિ [ज्ञातव्यः] જાણવો.

ટીકાઃ– કારણ કે સમ્યગ્દ્રષ્ટિ, ટંકોત્કીર્ણ એવા એક જ્ઞાયકભાવમયપણાને લીધે કર્મબંધ સંબંધી શંકા કરનાર (અર્થાત્ જીવ નિશ્ચયથી કર્મ વડે બંધાયો છે એવો સંદેહ અથવા ભય કરનારા) મિથ્યાત્વાદિ ભાવોનો (તેને) અભાવ હોવાથી, નિઃશંક છે તેથી તેને શંકાકૃત બંધ નથી પરંતુ નિર્જરા જ છે.

ભાવાર્થઃ– સમ્યગ્દ્રષ્ટિને જે કર્મનો ઉદય આવે છે તેનો તે, સ્વામિત્વના અભાવને લીધે, કર્તા થતો નથી. માટે ભયપ્રકૃતિનો ઉદય આવતાં છતાં પણ સમ્યગ્દ્રષ્ટિ જીવ નિઃશંક રહે છે, સ્વરૂપથી ચ્યુત થતો નથી. આમ હોવાથી તેને શંકાકૃત બંધ થતો નથી, કર્મ રસ આપીને ખરી જાય છે.

સમયસાર ગાથા ૨૨૯ઃ મથાળુ

હવે આ કથનને ગાથાઓ દ્વારા કહે છે. તેમાં પ્રથમ નિઃશંકિત અંગની (અથવા નિઃશંકિત ગુણની-ચિન્હની) ગાથા કહે છેઃ-

* ગાથા ૨૨૯ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘કારણ કે સમ્યગ્દ્રષ્ટિ, ટંકોત્કીર્ણ એવા એક જ્ઞાયકભાવમયપણાને લીધે....’ _________________________________________________________________

* ચેતયિતા = ચેતનાર; જાણનાર-દેખનાર; આત્મા.