Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2395 of 4199

 

૪૮૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ શંકા હોતી નથી. આવો ધર્મ ને આવા ધર્માત્મા! બાપુ! જેના ફળમાં અનંત અનંત આનંદ પ્રગટે તેવો ઉપાય પણ આવો અલૌકિક જ હોય ને! અહો! ગાથા કોઈ અલૌકિક છે.

અહા! સમ્યગ્દ્રષ્ટિને એક જ્ઞાયકભાવમયપણાને લીધે કર્મબંધ સંબંધી શંકા અથવા ભય કરનારા મિથ્યાત્વાદિ ભાવોનો અભાવ છે. જુઓ, શું કહ્યું આમાં? આ કર્મબંધ સંબંધી શંકા કરનારા ભાવો કોણ છે? તો કહે છે-મિથ્યાત્વાદિ ભાવો છે. કર્મબંધ સંબંધી શંકા કરનાર મિથ્યાત્વાદિ ભાવો છે-એમ કહે છે. અહા! મિથ્યાત્વને લઈને સંદેહ પડે છે કે-હું બંધમાં છું, મને કર્મબંધ છે.

અહીં મિથ્યાત્વાદિમાં આદિ એટલે શું?

આદિ એટલે અવિરતિ, કષાય ને યોગ-બધા પરિણામ. તેમાં મૂળ મિથ્યાત્વ છે. મિથ્યાત્વ, અનંતાનુબંધી કષાય ઇત્યાદિ બધા સાથે ભેગા જ છે ને?

પ્રશ્નઃ– તો શું મિથ્યાત્વાદિ ચારેયનો (સમકિતીને) અભાવ છે?

સમાધાનઃ– હા, ચારેયનો અભાવ છે. મૂળ પાઠમાં છે, જુઓને! છે ને પાઠ? કે- ‘जो चत्तारि वि पाए छिंददि’ મિથ્યાત્વાદિ ચારેય પાદને જે છેદે છે-તે નિઃશંક્તિ સમ્યગ્દ્રષ્ટિ છે. ભાઈ! તેમાં ખૂબી તો આ છે કે એક જ્ઞાયકભાવમયપણાની દ્રષ્ટિમાં, રાગનો સંબંધ છે ને કર્મનો સંબંધ છે એવી શંકા કરનારા મિથ્યાત્વભાવનો અભાવ છે. છે ને અંદર? ભાષા શું છે? જુઓને? કે-‘કર્મબંધ સંબંધી શંકા કરનારા’ -કોણ? કે ‘મિથ્યાત્વાદિ ભાવો’-વિપરીત માન્યતા આદિ. અહા! જ્ઞાનીને તેનો અભાવ છે. વિપરીત માન્યતા છે તે કર્મના સંબંધની શંકા કરે છે, જ્યારે અવિપરીત (યથાર્થ) માન્યતા અબંધપણાને મુક્તસ્વભાવને સ્વીકારે છે.

પ્રશ્નઃ– ચારેયનો અભાવ કહ્યો છે તે દ્રવ્યમાં કે પર્યાયમાં?

સમાધાનઃ– પર્યાયમાં અભાવ છે. એ સંદેહાદિનો અભાવ કહ્યો ને? મિથ્યાત્વ, અવિરતિ, કષાય ને યોગ એ ચારેયનો જ્ઞાનીને અભાવ છે, કેમકે તે એકેય વસ્તુમાં- પૂર્ણાનંદસ્વરૂપ મુક્તસ્વરૂપ પ્રભુ આત્મામાં કયાં છે? નથી; તો આત્મદ્રષ્ટિમાં પણ નથી. શુદ્ધ ચૈતન્યસ્વરૂપની દ્રષ્ટિમાં મિથ્યાત્વાદિ ચારેય નથી. ભારે સૂક્ષ્મ વાત! બાપા! આ તો કેવળીનાં પેટ આચાર્ય ભગવાન ખોલે છે. આ પહેલી નિઃશંકિતની ગાથા બહુ ઊંચી છે ભાઈ! હું એક ધ્રુવ ચૈતન્યસ્વરૂપ અબદ્ધ-સ્પૃષ્ટ-મુક્તસ્વરૂપ જ છું એવું જ્યાં ભાન થયું ત્યાં ‘બંધાયેલો છું’-એવી શંકા ઉત્પન્ન કરનારા મિથ્યાત્વાદિભાવોનો અભાવ થઈ જાય છે. અહો! સમ્યગ્દર્શન કોઈ અદ્ભુત અપૂર્વ ચીજ છે!

શું કહે છે? જુઓને! કે ‘કર્મબંધ સંબંધી શંકા કરનારા મિથ્યાત્વાદિ