Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2399 of 4199

 

૪૮૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭

‘આમ હોવાથી તેને શંકાકૃત બંધ થતો નથી, કર્મ રસ આપીને ખરી જાય છે.’ શંકાની વ્યાખ્યા નિયમસારમાં કરી છે ને? ત્યાં આપ્તની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે-‘આપ્ત એટલે શંકા રહિત. શંકા એટલે સકળ મોહરાગદ્વેષાદિક (દોષો).’ શંકાની આ વ્યાખ્યા કરી છે. અહા! ભગવાન આપ્ત-પરમેશ્વર શંકારહિત એટલે કે સકળ મોહરાગ- દ્વેષાદિ રહિત હોય છે. અહીં કહે છે-જ્ઞાની શંકારહિત નિઃશંક છે. દ્રષ્ટિ નિઃશંક છે ને! તેથી તેને શંકા કરનારા મોહાદિ ભાવોનો અભાવ છે. માટે શંકાકૃત બંધ તેને નથી, પરંતુ નિર્જરા જ છે; કર્મ ઉદયમાં આવીને-દેખાવ દઈને -ખરી જાય છે. અહા! કર્મ પ્રગટ થઈને ચાલ્યું જાય છે, ખલાસ થઈ જાય છે. લ્યો, આવી વાત છે. આ પહેલી ગાથા (નિઃશંક્તિ ગુણની) પૂરી થઈ.

[પ્રવચન નં. ૩૦૨ (શેષ)*દિનાંક ૨પ-૧-૭૭]
×