Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2464 of 4199

 

સમયસાર ગાથા-૨૩૬ ] [ પપ૧

અહા! શું કરવા પરણ્યા ‘તા? અમને નિભાવવા પડશે-એમ સ્ત્રી-પરિવાર આદિ લૂંટે છે. વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય; વ્યવહાર કરવો જોઇએ-એમ જગતના વ્યવહારિયા તને લૂંટે છે. અહા! જુઓ આ લૂંટારા! અને પાછો વાંક અનંત નાખે હોં; બહાનાં અનંત કાઢે.

અહા! ‘વિરલા કો ઉગરંત રે’ -અહા! કોઇ વિરલ એમાંથી નીકળી જાય છે. મારગ બહુ વિરલ છે ભાઈ! અહા! સર્પિણી બચ્ચાંને જન્મ આપી તેમને કુંડાળું કરી ઘેરી લે છે ને એક એક કરી બધાને ખાઇ જાય છે. તેમાંથી કોઇક બહાર નીકળી જાય તે બચી જાય છે. તેમ આ જગતના ફંદમાં ઘેરાયેલા જીવો અરેરે! બિચારા લૂંટાઇ રહ્યા છે! કોઇ ભાગ્યવંત વિરલ પુરુષ તેમાંથી નીકળી જાય છે.

અહા! જીવ એકલો આવ્યો, એકલો રહે છે અને એકલો જાય છે. તે એકલો જ છે; તેને જગતથી શું સંબંધ છે?

પણ તે એમ માને તો ને? અહા! માનનાર મૂર્ખાઇપણે ગમે તે માને. પણ તેથી વસ્તુ એમ થોડી થઇ જાય છે? શ્રી નિયમસારમાં (ગાથા ૧૦૧માં) આવે છે ને કે-

“જીવ એકલો જ મરે, સ્વયં જીવ એકલો જન્મે અરે!
જીવ એકનું નીપજે મરણ, જીવ એકલો સિદ્ધિ લહે.”

આ શરીરના રજકણો ભાઈ! અહીં પડયા રહેશે; અને આ મકાન મહેલ પણ બધા પડયા રહેશે. બાપુ! એમાંની કોઇ ચીજ તારા સ્વરૂપમાં નથી. જીવ તો પ્રભુ! જીવમાં છે, પણ આ શરીર, મકાન, સ્ત્રી આદિ ક્યાં જીવમાં છે? તેઓ તો બધા ભિન્ન જ છે. તો તું તેમના મોહપાશમાંથી નીકળી જા. હવે લૂંટાવાનું રહેવા દે પ્રભુ!

અહા! અજ્ઞાનીઓ પરને પોતાના માને છે, પણ અહા! પોતે એકલો આવ્યો, એકલો દુઃખ ભોગવે ને પોતાના એકત્વને પામીને મોક્ષમાં પણ એકલો આનંદ ભોગવે છે; તેને કોઇ પર સાથે સંબંધ છે જ નહિ, જુઓને આ સિદ્ધ ભગવાન! અહાહા...! સમીપમાં (એકક્ષેત્રાવગાહમાં) અનંત સિદ્ધો છે તોપણ તે પોતાનો આનંદ એકલા ભોગવે છે, બીજાના આનંદને ભોગવે નહિ ને પોતાનો આનંદ બીજાને આપે નહિ. અહા! આવું વસ્તુનું જ એકત્વ-વિભક્તપણું છે. સમજાણું કાંઇ...?

અહા! આ સંસાર તો નાટક છે બાપા! ન ટકે એવું છે માટે આ બધું નાટક છે. આ શરીર, મન, વાણી-બધું ન ટકે એવું નાટક છે. ત્રિકાળ ટકે એવો તો પોતે અવિનાશી ભગવાન આત્મા છે. બાકી તો બધાં રખડવા માટેનાં નાટક છે, ધૂળધાણી છે.

અહા! અજ્ઞાનીને વિષય-કષાયના ને પૈસા ને આબરૂનાં રસનાં ઝેર ચઢી ગયાં છે, તે વડે તે બેહોશ-પાગલ થઇ ગયો છે. ધર્મી તો ‘स्वयम् अतिरसात्’ –પોતે પોતાથી