Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2471 of 4199

 

પપ૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭

“સમ્યક્વંત મહંત સદા સમભાવ રહૈ દુઃખ સંકટ આયે,
કર્મ નવીન બંધૈ ન તવૈ અર પૂરવ બંધ ઝડે વિન ભાયે;
પૂરણ અંગ સુદર્શનરૂપ ધરૈ નિત જ્ઞાન બઢૈ નિજ પાયે,
યોં શિવમારગ સાધિ નિરંતર આનંદરૂપ નિજાતમ થાયે.”

જુઓ, આમાં આખા નિર્જરા અધિકારનો સાર કહ્યો. ‘સમ્યક્વંત મહંત....’ અહા! જેને અંદર પોતાના ચિદાનંદઘનસ્વરૂપ આત્માનું ભાન થયું છે તે મહંત કહેતાં મહાન્ આત્મા છે. અહા! સમકિતી પુરુષ મહંત છે. રાગને આત્મા માનનારો બહિરાત્મા દુરાત્મા છે અને સમકિતી મહા આત્મા છે, મહંત છે. આ લોકોમાં મહંત કહેવાય છે તે મહંત નહિ, આ તો અંદર ચૈતન્યમહાપ્રભુ પડયો છે તેની જેને નિર્મળ પ્રતીતિ થઇ છે તે સમકિતી મહંત છે એમ વાત છે.

‘સમ્યક્વંત મહંત સદા સમભાવ રહૈ દુઃખ સંકટ આયે.’ અહાહા...! શું કહે છે? કે દુઃખ નામ પ્રતિકૂળતાના સંયોગોના ઢગલામાં હોય તોપણ જ્ઞાની ધર્મી પુરુષ તો સમભાવમાં રહે છે. જ્ઞાની છે ને? તો પ્રતિકૂળતાના કાળે જે દ્વેષ થતો તે અનુકૂળતાના કાળે જે રાગ થતો તે વાત હવે રહી નથી કેમકે હવે પરવસ્તુમાં ઇષ્ટ-અનિષ્ટપણાની બુદ્ધિ નથી. અહા! સમ્યક્વંત નામ સત્-દ્રષ્ટિવંત મહંત છે અને તે સદા સમભાવમાં રહે છે. ‘સદા સમભાવ રહૈ’ -જોયું? ‘સદા સમભાવ રહૈ’ -એમ કહ્યું છે. મતલબ કે સમકિતીને કોઇ વખતે પણ વિષમભાવ છે નહિ. એ તો સદા જ્ઞાતા- દ્રષ્ટાભાવે સમપણે જ પરિણમે છે.

તો શું બે ભાઈઓ (ભરત, બાહુબલી) લડયા હતા તોય તેમને સમભાવ હતો? હા, તેમને અંતરમાં તો સમભાવ જ હતો. ભરત ને બાહુબલી બે લડયા-એ તો ઉપરથી ચારિત્રની અસ્થિરતાનો દોષ છે. અંતરમાં તો રાગ-રોષનો અભિપ્રાય છૂટી ગયેલો છે. તેમને પ્રતિકૂળતા પ્રત્યે દ્વેષ છૂટી ગયેલો છે. કિંચિત્ અલ્પ દ્વેષ થયો છે તો તે પ્રતિકૂળતાને કારણે થયો છે એમ નથી પણ પોતાની નબળાઇને લઇને કિંચિત્ દ્વેષ ઉત્પન્ન થયો છે. તેને પણ સમકિતી તો હેય જાણે છે અને સ્વરૂપની એકાગ્રતાના અભ્યાસ વડે અલ્પકાળમાં તેનો નાશ કરી દે છે.

અહા! કહે છે- ‘સમભાવ રહૈ, દુઃખ સંકટ આયે’ -સંકટ નામ અનેક પ્રકારે બહારમાં પ્રતિકૂળતા આવે તોપણ સમકિતી સમભાવ રાખે છે, જાણવા-દેખવાના ભાવે પરિણમે છે. ૨૦ વર્ષનો જુવાન દીકરો અવસાન પામી જાય તોય સમકિતીને ત્યાં સમભાવ છે. જેમ ઘેર મહેમાન આવ્યા હોય તે થોડો વખત રહી ચાલ્યા જાય તેમ કુટુંબીજનો પણ થોડો કાળ રહી મુદત પાકી જતાં ચાલ્યા જાય છે; સંયોગનું સ્વરૂપ જ આવું છે એમ જ્ઞાની જાણે છે. તેને કિંચિત્ રાગાદિ થાય તોપણ તે સંયોગના કારણે