પ૮] [પ્રવચન રત્નાકર ભાગ-૮ વ્યય) થાય તેના વિષે એમ કહેવામાં આવે છે કે-આણે આને માર્યો, તે વ્યવહાર છે.’ ભાઈ! ત્યાં નિમિત્ત કોણ હતું તેનું જ્ઞાન કરાવવા એ વ્યવહારથી કથન છે.
‘અહીં એમ ન સમજવું કે વ્યવહારનો સર્વથા નિષેધ છે. જેઓ નિશ્ચયને નથી જાણતા, તેમનું અજ્ઞાન મટાડવા અહીં કથન કર્યું છે.’
શું કીધું? પરસ્પર નિમિત્તથી ક્રિયા થાય છે ત્યાં કહેવાય છે કે આણે આને માર્યો. આવો નિમિત્તનૈમિત્તિક સંબંધ છે. વ્યવહાર વ્યવહારની રીતે બરાબર છે, પણ નિશ્ચયે એમ નથી. જેઓ નિશ્ચયને-સત્યાર્થને નથી જાણતા તે તેમનું અજ્ઞાન છે. આ અજ્ઞાનને મટાડવા અહીં નિશ્ચયપ્રધાન કથન કર્યું છે. પોતાથી પરનું મરણ કરી શકાતું નથી અને પરથી પોતાનું મરણ કરી શકાતું નથી એ નિશ્ચય છે, સત્યાર્થ છે. હવે કહે છે-
‘તે જાણ્યા પછી બન્ને નયોને અવિરોધપણે જાણી યથાયોગ્ય માનવા.’
ખરેખર તો પરદ્રવ્યની ક્રિયા-પરને મારવાની ક્રિયા-આત્માના અધિકારની વાત નથી, તેવી રીતે પર મને મારે-મારી શકે એવો અધિકાર પરને પણ નથી. આ વસ્તુસ્થિતિ છે. તથાપિ દ્રવ્યોમાં પરસ્પર નિમિત્તનૈમિત્તિકભાવથી ક્રિયા બને છે ત્યાં નિમિત્તનું યથાર્થ જ્ઞાન કરાવવું હોય ત્યારે આ નિમિત્તથી થયું એમ વ્યવહારથી કહેવામાં આવે છે. આ પ્રમાણે બન્ને નયોને અવિરોધપણે જાણી યથાર્થ માનવું એમ કહે છે. જીવનું મરણ નામ પ્રાણોનો વિયોગ તો એના કાળે થવાયોગ્ય સહજ થયો છે ત્યાં પર પદાર્થ નિમિત્તમાત્ર છે એમ યથાર્થ માનવું. (પર પદાર્થે મરણ નીપજાવ્યું છે એમ ન માનવું)
જ્ઞાની-સમ્યગ્દ્રષ્ટિ પણ જ્યારે સ્વરૂપમાં લીન ત્રિગુપ્તિ-ગુપ્ત સમાધિસ્થિત હોય ત્યારે એને ‘પરને મારું’ એવો અભિપ્રાય તો દૂર રહો, એવો વિકલ્પેય નથી. પણ જ્યારે આનંદની સમાધિમાંથી બહાર પ્રમાદ દશામાં આવે ત્યારે કદાચ વિકલ્પ આવે કે-‘આને મારું,’ તોપણ તે કાળે માન્યતા તો એમ જ છે કે હું આને મારી શકતો નથી; જો તે મરે છે તો એનું આયુ પૂરું થવાથી મરે છે, હું તો તેમાં નિમિત્તમાત્ર છું. જુઓ, નિમિત્તમાત્ર જુદું ને નિમિત્તકર્તા જુદું હોં. જ્ઞાનીને કર્તાપણાનો અભિપ્રાય નહિ હોવાથી પરની ક્રિયામાં તે નિમિત્તમાત્ર છે અને અજ્ઞાનીને, હું કરું છું એમ કર્તાપણાનો અભિપ્રાય હોવાથી તે નિમિત્તકર્તા કહેવાય છે. હું કર્તા છું એમ અજ્ઞાની માને છે ને! તેથી તે નિમિત્તકર્તા છે.
જ્ઞાની તો યથાર્થ એમ માને છે કે- આ મારું કાર્ય નથી, આ મેં કર્યું નથી. સ્વરૂપસ્થિરતા નથી તેથી પ્રમાદવશ પરઘાતનો વિકલ્પ આવ્યો છે, પણ હું એને મારી શકું છું, વા મારા વિકલ્પના કારણે એ મરશે એમ તે માનતો નથી. એ મરશે તો