Pravachan Ratnakar (Gujarati). Kalash: 168.

< Previous Page   Next Page >


PDF/HTML Page 2562 of 4199

 

૮૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮

(वसन्ततिलका)
सर्व सदैव नियतं भवति स्वकीय–
कर्मोदयान्मरणजीवित दुःखसौख्यम्।
अज्ञानमेतदिह यत्तु परः परस्य
कुर्यात्पुमान्मरणजीवितदुःखसौख्यम् ।।
१६८।।
[यदि] જો [सर्वे जीवाः] સર્વ જીવો [कर्मोदयेन] કર્મના ઉદયથી

[दुःखितसुखिताः] દુઃખી-સુખી [भवन्ति] થાય છે, [च] અને તેઓ [तव] તને [कर्म] કર્મ તો [न ददति] દેતા નથી, તો (હે ભાઈ!) [तैः] તેમણે [दुःखितः] તને દુઃખી [कथं कृतः असि] કઈ રીતે કર્યો?

[यदि] જો [सर्वे जीवाः] સર્વ જીવો [कर्मोदयेन] કર્મના ઉદયથી

[दुःखितसुखिताः] દુઃખી-સુખી [भवन्ति] થાય છે, [च] અને તેઓ [तव] તને [कर्म] કર્મ તો [न ददति] દેતા નથી, તો (હે ભાઈ!) [तैः] તેમણે [त्वं] તને [सुखितः] સુખી [कथं कृतः] કઈ રીતે કર્યો?

ટીકાઃ– પ્રથમ તો, જીવોને સુખ-દુઃખ ખરેખર પોતાના કર્મના ઉદયથી જ થાય છે,

કારણ કે પોતાના કર્મના ઉદયના અભાવમાં સુખ-દુઃખ થવાં અશક્ય છે; વળી પોતાનું કર્મ બીજાથી બીજાને દઈ શકાતું નથી, કારણ કે તે (પોતાનું કર્મ) પોતાના પરિણામથી જ ઉપાર્જિત થાય છે; માટે કોઈ પણ રીતે બીજો બીજાને સુખ-દુઃખ કરી શકે નહિ. તેથી ‘હું પર જીવોને સુખી-દુઃખી કરું છું અને પર જીવો મને સુખી-દુઃખી કરે છે’ એવો અધ્યવસાય ધ્રુવપણે અજ્ઞાન છે.

ભાવાર્થઃ– જીવનો જેવો આશય હોય તે આશય પ્રમાણે જગતમાં કાર્યો બનતાં ન

હોય તો તે આશય અજ્ઞાન છે. માટે, સર્વ જીવો પોતપોતાના કર્મના ઉદયથી સુખી-દુઃખી થાય છે ત્યાં એમ માનવું કે ‘હું પરને સુખી-દુઃખી કરું છું અને પર મને સુખી-દુઃખી કરે છે’, તે અજ્ઞાન છે. નિમિત્તનૈમિત્તિકભાવના આશ્રયે (કોઈને કોઈનાં) સુખદુઃખનો કરનાર કહેવો તે વ્યવહાર છે; તે નિશ્ચયની દ્રષ્ટિમાં ગૌણ છે.

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
શ્લોકાર્થઃ– [इह] આ જગતમાં [मरण–जीवित–दुःख–सौख्यम्] જીવોને મરણ,

જીવિત, દુઃખ, સુખ- [सर्व सदैव नियतं स्वकीय–कर्मोदयात् भवति] બધુંય સદૈવ નિયમથી (-ચોક્કસ) પોતાના કર્મના ઉદયથી થાય છે; [परः पुमान् परस्य मरण– जीवित–दुःख–सौख्यम् कुर्यात्] ‘બીજો પુરુષ બીજાનાં મરણ, જીવન, દુઃખ, સુખ કરે છે’ [यत् तु] આમ જે માનવું [एतत् अज्ञानम्] તે તો અજ્ઞાન છે. ૧૬૮.