Pravachan Ratnakar (Gujarati). Kalash: 169.

< Previous Page   Next Page >


PDF/HTML Page 2563 of 4199

 

સમયસાર ગાથા ૨પ૪ થી ૨પ૬ ] [ ૮૩

(वसन्ततिलका)
अज्ञानमेतदधिगम्य परात्परस्य
पश्यन्ति ये मरणजीवितदुःखसौख्यम्।
कर्माण्यहंकृतिरसेन चिकीर्षवस्ते
मिथ्याद्रशो नियतमात्महनो भवन्ति।।
१६९।।

ફરી આ જ અર્થને દ્રઢ કરતું અને આગળના કથનની સૂચનારૂપ કાવ્ય હવે કહે છેઃ-

શ્લોકાર્થઃ– [एतत् अज्ञानम् अधिगम्य] આ (પૂર્વે કહેલી માન્યતારૂપ) અજ્ઞાનને પામીને [ये परात् परस्य मरण–जीवित–दुःख–सौख्यम् पश्यन्ति] જે પુરુષો પરથી પરનાં મરણ, જીવન, દુઃખ, સુખ દેખે છે અર્થાત્ માને છે, [ते] તે પુરુષો- [अहंकृतिरसेन कर्माणि चिकीर्षवः] કે જેઓ એ રીતે અહંકાર-રસથી કર્મો કરવાના ઇચ્છક છે (અર્થાત્ ‘હું આ કર્મોને કરું છું’ એવા અહંકારરૂપી રસથી જેઓ કર્મ કરવાની- મારવા-જિવાડવાની, સુખી-દુઃખી કરવાની-વાંછા કરનારા છે) તેઓ- [नियतम्] નિયમથી [मिथ्याद्रशः आत्महनः भवन्ति] મિથ્યાદ્રષ્ટિ છે, પોતાના આત્માનો ઘાત કરનારા છે.

ભાવાર્થઃ– જેઓ પરને મારવા-જિવાડવાનો તથા સુખ-દુઃખ કરવાનો અભિપ્રાય કરે છે તેઓ મિથ્યાદ્રષ્ટિ છે. તેઓ પોતાના સ્વરૂપથી ચ્યુત થયા થકા રાગી, દ્વેષી, મોહી થઈને પોતાથી જ પોતાનો ઘાત કરે છે, તેથી હિંસક છે. ૧૬૯.

* * *
સમયસાર ગાથા ૨પ૪ થી ૨પ૬ઃ મથાળું

હવે પૂછે છે કે આ અધ્યવસાય અજ્ઞાન કઈ રીતે છે? તેનો ઉત્તર કહે છેઃ-

* ગાથા ૨પ૪ થી ૨પ૬ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘પ્રથમ તો, જીવોને સુખ-દુઃખ ખરેખર પોતાના કર્મના ઉદયથી જ થાય છે,...’ જુઓ, આ પાછું આવ્યું. જેમ અગાઉ ‘જીવોને જીવિત ખરેખર પોતાના આયુકર્મના ઉદયથી જ છે’-એમ કહ્યું હતું તેમ અહીં પણ લીધું કે ‘જીવોને સુખ-દુઃખ ખરેખર પોતાના કર્મના ઉદયથી જ થાય છે.’ આ વ્યવહારનું કથન છે. અહીં સિદ્ધ શું કરવું છે? કે જીવોને બીજો કોઈ સુખ-દુઃખ કરી શકતો નથી. આ સિદ્ધ કરવા જીવોને કર્મના ઉદયથી સુખદુઃખ થાય છે એમ કહ્યું છે. બાકી કર્મ તો જડ છે, એનાથી કાંઈ જીવને સુખ-દુઃખ થાય? ન થાય. આને સુખની સામગ્રી-પૈસા,