एसा दु जा मदी दे दुक्खिदसुहिदे करेमि सत्ते त्ति। एसा दे मूढमदी सुहासुहं बंधदे कम्मं।। २५९।।
एषा ते मूढमतिः शुभाशुभं बध्नाति कर्म।। २५९।।
હવે, આ અજ્ઞાનમય અધ્યવસાય જ બંધનું કારણ છે એમ ગાથામાં કહે છેઃ-
તે મૂઢ મતિ તારી અરે! શુભ અશુભ બાંધે કર્મને. ૨પ૯.
ગાથાર્થઃ– [ते] તારી [या एषा मतिः तु] જે આ બુદ્ધિ છે કે હું [सत्त्वान्] જીવોને [दुःखितसुखितान्] દુઃખી-સુખી [करोमि इति] કરું છું, [एषा ते मूढमतिः] તે આ તારી મૂઢ બુદ્ધિ જ (મોહસ્વરૂપ બુદ્ધિ જ) [शुभाशुभं कर्म] શુભાશુભ કર્મને [बध्नाति] બાંધે છે.
ટીકાઃ– ‘પર જીવોને હું હણું છું, નથી હણતો, દુઃખી કરું છું, સુખી કરું છું’ એવો જે આ અજ્ઞાનમય અધ્યવસાય મિથ્યાદ્રષ્ટિને છે, તે જ (અર્થાત્ તે અધ્યવસાય જ) પોતે રાગાદિરૂપ હોવાથી તેને (-મિથ્યાદ્રષ્ટિને) શુભાશુભ બંધનું કારણ છે.
ભાવાર્થઃ– મિથ્યા અધ્યવસાય બંધનું કારણ છે.
હવે, આ અજ્ઞાનમય અધ્યવસાય જ બંધનું કારણ છે એમ ગાથામાં કહે છેઃ-
‘પર જીવોને હું હણું છું, નથી હણતો, દુઃખી કરું છું, સુખી કરું છું-એવો જે આ અજ્ઞાનમય અધ્યવસાય મિથ્યાદ્રષ્ટિને છે, તે જ પોતે રાગાદિરૂપ હોવાથી તેને (- મિથ્યાદ્રષ્ટિને) શુભાશુભ બંધનું કારણ છે.’
આત્મા સચ્ચિદાનંદ પ્રભુ નિત્ય નિરંજન એક જ્ઞાનસ્વભાવ માત્ર વસ્તુ છે. એમાં આ હું પરને હણું ને ન હણું એવો જે અજ્ઞાનમય રાગ-દ્વેષ-મોહના, પાપ ને પુણ્યના પરિણામ થાય તે, કહે છે, મિથ્યાદ્રષ્ટિને બંધનું કારણ છે.